________________
એના વૈરાગ્ય અનાસિક્ત, તત્ત્વ૨મણતા વગેરે ગુણોનું સ્મરણ પણ આવવા દેતા નથી. એ તો જડ પ્રવૃત્તિઓથી જડના વિકાસ બરાબર સધાયાનો સંતોષ આપે છે.
શુભ ગુરૂનો યોગ મળી ગયો પછી પણ રોજ અનેક વાર જય (૧૧૩|| વીયરાય’માં ‘સુહગુરૂજોગો' બોલી એ માગવાનો અર્થ શો ?
આમાં ‘જોગો’ એટલે કે યોગ-પદાર્થ સમજવા જેવો છે. એ સમજાઇ
Om જાય તો પછી એમ નહિ લાગે કે ફરી ફરી આમાં શું માંગવાનું ? ઉલ્ટું ખ્યાલ રહેશે કે આવો યોગ માંગી રહ્યો છું. ‘સહગુરૂજોગો’ નો અર્થ : ગુરૂયોગની પરાકાષ્ઠા :
‘યોગ’ એટલે પ્રાપ્તિ, સંબંધ, શુભ ગુરૂનો સંબંધ, એમની પ્રાપ્તિ એ માત્ર બાહ્ય પ્રાપ્તિ, બાહ્ય સંબંધ નથી સમજવાનો, કિન્તુ આભ્યન્તર પણ લેવાનો છે. ગુરૂનો આવ્યંતર યોગ થયો એટલે દિલમાં ગુરૂને પૂજ્ય યાને પૂજાપાત્ર અને માર્ગદર્શક તથા આજ્ઞાકારક તરીકે સ્થાપિત કર્યા. આ ગુરૂયોગ સ્થાપિત ક૨વાનું પણ એટલે સુધી કે એ ગુરૂયોગમાં ગુરૂ સાથે સ્વાત્માનો ઠેઠ અભેદભાવ ઊભો થાય, યાવત્ પરમ ગુરૂ વીતરાગ પરમાત્માનો અભેદયોગ નીપજે, અર્થાત્ વીતરાગ બનાય. આ ઉપરથી સમજાશે કે પ્રારંભમાં શુભ ગુરૂ હૃદયમાં એ રીતે સ્થાપિત થાય કે “એ મારે ખાસ પૂજ્ય છે અને મારા સત્પંથપ્રદર્શક છે. એમની આજ્ઞા મારે સ્વીકાર્ય છે;’’ પછી એની કક્ષા વધતે વધતે એટલે કે એમને દિલમાં પ્રધાન, અતિ પ્રધાન સ્થાન અપાયે જતે, એમની આજ્ઞા પ્રધાન અતિ પ્રધાન થતી જાય; યાવત્ વીતરાગ ભાવ લાવવાની એમની આજ્ઞા પ્રધાન કરતાં કરતાં ઠેઠ વીતરાગપણા સુધી પહોંચી જવાય. આ ઉત્કૃષ્ટ શુભગુરૂયોગ કહેવાય. એ ન આવે ત્યાં સુધી પ્રભુ પાસે ગુરૂયોગ રોજ માંગતા રહેવું જ પડે; કેમકે અરિહંતના પ્રભાવે જ એ આવવાનો છે.
Jain Education International
૧૩૯
For Private & Personal Use Only
www.jainelibrary.org