________________
આત્માને ગુણવાન બનાવો, બાકી ધર્મની દોડાદોડ કરવાથી શું વળે ? બહુ ધર્મક્રિયાઓ તો માણસને અહીંથી કેટલીય ફરજો ચૂકાવે છે. કૌટુમ્બિક ઉપરાંત ઘણીય સામાજિક ફરજો છે. નાગરિક તરીકેની ફરજો છે. ધર્મ ક્રિયાઓની ઘેલછાં શું આ ફરજો તરફ બેદરકાર બનાવતી નથી ?
૧૧૨
આનો ઉત્તર એ છે કે આવું કહેનારને એ ખબર નથી કે જો માણસમાં આત્મગુણ ખીલ્યા છે તો એની સાથે ધર્મક્રિયાએ સંકળાવું જ જોઇએ. કેમકે જેને આત્મગુણ કહેવાય છે એ પામવાનું કારણ ધર્મક્રિયા છે, તેમ એ પામ્યાનું પ્રતીક પણ ધર્મક્રિયા છે. એનું કારણ એ છે કે આત્મગુણો આત્માની અનંતકાળની અવળી ચેષ્ટાઓને પોષનારા દુર્ગુણો કરતાં તદ્દન ઊલટા છે. એથી એ સમ્યક્ પ્રવૃત્તિને પોષે છે. વળી કૌટુંબિક અને સામાજિક નાગરિક વગેરે ફરજો અલ્પ જરૂરિયાતવાળા અને તદ્દન સાદા હતા, એમાં આજની માનેલી ફરજોની ધાંધલનો સવાલ જ ઊભો ન્હોતો થતો. બીજાં એ પણ હતું કે બાલપણથી માણસ જીવન જ એવું પરમાર્થી જીવતો કે કુટુંબ કે સમાજને બાધા જ ન પહોંચે. પછી સૌ કોઇને ધર્મપ્રવૃત્તિ કરવામાં ખૂબ અવકાશ અને ઉલ્લાસ રહેતો. અલ્પ જરૂરિયાતવાળું જીવન બહુધા સ્વાશ્રયી જીવન હોય છે, એમાં બીજાઓની બહુ સેવા લેવાની રહેતી નથી. આજના ખૂબ જરૂરિયાતોવાળા અને ફટાટોપ પ્રવૃત્તિઓ તથા (engagements) રોકાણોવાળા જીવન બહુધા પરાશ્રયી બની ગયા છે. હવે કહે છે એની ભૂખ સંતોષવા ધાર્મિક માણસે પોતાની ધર્મસાધના ચૂકીને આ કહેવાતી સામાજિક ફરજો બજાવવા નીકળી પડવું ! કેમ એમ જ ને ? ધ્યાનમાં રાખવાની જરૂર છે કે એવી ઊભી કરેલી મનમાના સાંસારિક ફરજોમાં ઉચ્ચ કોટિના આત્મગુણો નથી કમાઇ શકાતા. આત્મગુણો એટલે આત્માના પોષક ગુણો એ માટે અનાત્માના અર્થાત્, જડના પોષણ-સ્મરણથી બને એટલું દૂર રહેવું જોઇએ. ધર્મપ્રક્રિયાઓમાં, ધર્મ-પ્રવૃત્તિમાં રચ્યા-પચ્યા રહેવાતાં આ તાકાત છે કે જડના પોષણ છોડાવી આત્માનાં પોષણ વધારી આપે. આજની માનેલી સામાજિક ફ૨જો માણસને જડ સુખો અને જડમાં ઓતપ્રોત બનાવે છે. શુદ્ધ આત્મા અને
"
Jain Education International
૧૩૮
For Private & Personal Use Only
www.jainelibrary.org