SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) બોધિ-સમ્યક્ત્વ ચારિત્રમાં વણાયેલું છે, તે ઠેઠ ઉપરના ગુણસ્થાનકોની ક્ષપક અવસ્થા સુધીમાં વણાયેલું હોય છે. એટલે બોધિની ઉત્તમતાથી એ ચારિત્ર વિશિષ્ટ કોટિનું બની જ જાય છે. તેથી એને વરચારિત્ર કહેવાની જરૂ૨ ૨હેતી નથી. (૨) તીર્થંકર-નામકર્મ ઉપાર્જનાર બધા જ જીવો કાંઇ ચારિત્ર પામીને જ એ કર્મ ઉપાર્જે છે, એવું નથી બનતું, કેટલાક ચારિત્ર નથી પામ્યા હોતા છતાં આ પુણ્યાઇ ઉપાર્જે છે. એ વરબોધિ સાથે વિશિષ્ટ અર્હદ્-વાત્સલ્ય વગેરેની સાધના કરે અને ચારિત્ર ન લીધું હોય તો ય, તીર્થંકર-નામકર્મ ઉપાર્જે છે. એવા આત્માઓ શ્રેણિક-કૃષ્ણ વગેરે અનેક છે. વળી, (૩) ‘બોધિ’ શબ્દ વ્યાપક છે. ‘બોધિ’ શબ્દનો અર્થ શાસ્ત્રો જૈન ધર્મની પ્રાપ્તિ' એવો કરે છે. ‘જૈન ધર્મ' ‘જિનોએ કહેલા ધર્મ’ શું છે ? સમ્યક્ત્વથી માંડી વીતરાગતા સુધીના પણ ‘અરિહંત ચેઇઆંણ' વગેરે બોલી કાઉસ્સગ્ગ કરે છે, એમાં ‘બોહિલાભ-વત્તિયાએ’ પદ બોલે છે, ને તે સાર્થક છે. નહિતર જો ‘બોહિલાભ’ એટલે સમ્યક્ત્વના લાભના નિમિત્તે કાઉસ્સગ્ગ કરવાનો હોય, તો તે ક્ષાયિક સમકિતીને તો હવે સમક્તિ ક્ષાયિક છે. અર્થાત્ સર્વથા મિથ્યાત્વ-ક્ષયથી નિષ્પન્ન હોઇ શાશ્વત છે, યાવચંદ્રદિવાકરૌ કાળ માટે પ્રગટેલું છે, એટલે હવે એ પરલોકમાં ભવિષ્યમાં કયારેય પણ નષ્ટ થવાનું નથી. તો એના નિમિત્તે કાઉસ્સગ્ગ શો ? ત્યારે 'બોહિલાભ' એટલે વીતરાગતા સુધીના ધર્મ લેવાના હોય, તો ક્ષાયિક સમકિતીને હજી વીતરાગ ન થાય ત્યાં સુધી એ ઉપરના ધર્મ પ્રાપ્ત કરવા નિમિત્તે કાઉસ્સગ્ગ કરવાનો રહે. આ બોધિને તીર્થંકર થનારના વરબોધિ તરીકે ઓળખાવતાં એ વરબોધિમાં સમ્યક્ત્વ તો આવે જ. ઉપરાંત વીતરાગ બનવા સુધીના અર્હદ્ વાત્સલ્ય, ચારિત્ર વગેરે બધા સમાય. એટલે વરબોધિ કહેવામાં ચારિત્ર વગેરે બધા ધર્મ આવ્યા એથી વરચારિત્ર, વરઅપ્રત્તતા વગેરે કહી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004962
Book TitleTarkna Tankna Shraddhanu Shilpa
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy