________________
કારણભૂત ગણી શકાય. પરંતુ, સમ્યક્ત્વ (બોધિ)માં ફરકને કારણભૂત કેમ ગણાય ? ‘બીજા જીવોને સામાન્ય બોધિ અને તીર્થંકર થનાર જીવોને વરબોધિ’ એમ ફરક પડવાનું શું કારણ ?
આ ફરક પડવાનું કારણ એ કે તીર્થંકર થવામાં સીધું વિશિષ્ટ તથાભવ્યત્વ કારણ નથી, કિન્તુ એના બળ ઉપર ઊભો થનાર તીર્થંકર-નામકર્મ આદિનો ઉત્કૃષ્ટ પુણ્યસમૂહ કારણભૂત છે. એ ઉત્કૃષ્ટ પુણ્યસમૂહ પણ સીધો જ વિશિષ્ટ તથાભવ્યત્વના બળ ઉપર ઊભો થતો નથી, કિન્તુ વિશિષ્ટ બોધિ સમ્યક્ત્વ આદિ દ્વારા ઊભો થાય છે. તીર્થંકર નામકર્મ આદિનો પુણ્ય-સમૂહ એ કર્મ છે. શુભાશુભ મનોયોગ અને શુભાશુભ ભાવથી શુભાશુભ કર્મ ઊભાં થાય, એટલે તીર્થંકર નામકર્મરૂપી શુભકર્મ ઊભું કરનાર શુભ ભાવ, શુભ અધ્યવસાય જોઇએ. વિશિષ્ટ તથાભવ્યત્વ એ કાંઇ મનોયોગરૂપ-અધ્યવસાયરૂપ નથી. પણ સમ્યક્ત્વ બોધિ આદિ એ શુભ અધ્યવસાય રૂપ છે. હવે સમ્યક્ત્વાદિ તો બીજા જીવો ય ઉપાર્જે, પરંતુ એથી કાંઇ એમને તીર્થંકર-નામકર્મ નથી ઊભું થતું, અને તીર્થંકર જીવના સમ્યક્ત્વાદિથી એ પુણ્ય ઊભું થાય છે. એ સૂચવે છે કે, એમનું સમ્યક્ત્વ યાને બોધિ વિશિષ્ટ કોટિનું હોય છે.
સામાન્ય બોધિ નહિ એ વરબોધિ છે. માટે જ એના બળ ઉપર એવા વિશિષ્ટ અર્હદ્-વાત્સલ્ય વગેરે ઊભા થાય છે કે જેના પ્રભાવે તીર્થંકર નામકર્મ ઊભું થાય છે. આમ તથાભવ્યત્વના ફરક ઉપરાંત બોધિમાં પણ ફરક માનવો જ પડે.
એટલે જ એવા વરબોધિ યાને વિશિષ્ટ કોટિના સમ્યક્ત્વના હિસાબે જ એમના અર્હદ્ વાત્સલ્ય વગેરે પણ એવા અનેરા ઉભા થાય છે, કે એ બધાના બળે તીર્થંકર નામકર્મ આદિની પુણ્યાઇ જન્મ પામે છે.
તીર્થંકર નામકર્મને ઊભું કરનાર બોધિ એ વરબોધિ કહેવાય છે તો એમના ચારિત્રને વરચારિત્ર કેમ નથી કહેવાતું ? એના ત્રણ કારણ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org