________________
એ સુખ શું કામનું?
ત્યારે જો બાહ્ય દુ:ખનો અનુભવ છે, પરંતુ જો અંતરમાં મૈત્રી આદિ ભાવ વૈરાગ્ય, ત્યાગ-તપના ભાવ, દયા ક્ષમા-નમ્રતા, નિર્લોભતા વગેરે શુભ ભાવનો અનુભવ ચાલી રહ્યો છે, તો બાહ્ય દુ:ખથી પાપ વેચીને અઢળક પુણ્ય ખરીદવાનું થાય તો પછી બાહ્ય દુઃખ શું હોવાનું?
અહીં પ્રભુનો આશરો કામ આપે છે, જો આપણે આપણા દિલમાં વિચારીએ કે શાંતિનાથ ચક્રવર્તી જેવા મારા પ્રભુએ જબરદસ્ત કોટિના સુખ શું કે ચારિત્ર જીવનના મહાન કષ્ટ શું અને મહાવીર પ્રભુ જેવાએ વેઠેલ ભયંકર દેવતાઇ ઉપદ્રવના દુઃખ શું ! એ સુખ દુઃખને એમણે કશી વિસાતમાં ગણ્યા નથી પરંતુ અંતરના ભાવને મહત્ત્વના લેખી દિલમાં અભુત લોકોત્તર શુભ ભાવનો પ્રવાહ અખંડ વહેતો રાખ્યો છે, તો હું ધ્યાનમાં રાખી શા સારું બાહ્ય સુખદુ:ખને મહત્ત્વ આપું ને એમ કરીને ચિત્તના ભાવ બગાડવાની મુર્ખાઇ કરૂં ? મારે તો પ્રભુના આલંબને અંતરના ભાવ જ શુભ જાળવી રાખવાનો પ્રયત્ન રહો. સુખના અનુભવ કરતા શુભ ભાવનો જ અનુભવ રાખું. આ જો પ્રયત્ન આવી જાય તો પ્રભુના આશરે બાહ્ય દુ:કમાં ય શુભ ભાવની મસ્તી આવી જવાથી સુખ જ સુખ છે ને એનું પ્રભુના આલંબને બનવાથી કહેવાય કે પ્રભુના આશરે ઠામોઠામ સુખ છે.
અલબત્ત, આમાં એ શોધી કાઢવું જોઇએ કે કેવા કેવા દુ:ખ વખતે પ્રભુએ કેવો કેવો શુભ ભાવ રાખ્યો હશે ને એ શોધીને આપણા મનમાં એની કેળવણી કરતા રહેવું જોઇએ. દા.ત. ઘોર તપસ્યાના કષ્ટ વખતે કર્મ અને રાગાદિ કચરો સાફ થતો રહી આત્મસુવર્ણ શુદ્ધ થઇ રહ્યું હોવાનો મહાસંતોષ હોય. દિવસ ઉપરાંત રાત્રિભર કાયોત્સર્ગધ્યાને ખડા રહેવાના કષ્ટ વખતે આત્માનું સત્ત્વ વિકસતું રહેવાનો આનંદ હોય, એવું જ રાતભર ખુલ્લા બદને ઠંડીનું કે ડાંસમચ્છરનું કષ્ટ સહતા સંયમ ખીલવાનો સંતોષ રહે. કોઇનું અપમાન-તિરસ્કાર પ્રહાર આવતા અંતરની ક્ષમા-સમતાની સમૃદ્ધિ કમાવા કરવાનો આનંદ હોય.
સારાંશ, પ્રભુના જીવન પ્રસંગોનું આલંબન રાખવાથી શુભભાવ
૨૨૫ ૧૨૯
૧૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org