________________
પ્રથમ પદની રટણ આવી ?
બન્નેના સંયોગો પરથી અંતિમ સ્થિતિમાં બન્ને વચ્ચે પડેલા ફરકમાં આ કારણનું અનુમાન થઇ શકે –
(૧) સુદર્શન શેઠના જીવ નોકરને ‘નમો અરિહંતાણં’ પદની ૨ટણા એવી લાગેલી કે એમાં એને ઢોરો ચરાવનારા નોક૨પણાની ગરીબ સ્થિતિને લીધે કાયાના સુખસાધનોમાં મ્હાલવાની મમતા ન્હોતી તેથી અકસ્માત જાગેલા મરણાંત કષ્ટમાં એવું કાય-મમત્વ નડયું નહીં કે જે હાયવોય ને આર્તધ્યાન કરાવે. મરૂભૂતિ મહાન ધર્માત્મા શ્રાવક ખરો પણ પુણ્યવંતો હોઇ સુખ સાધનની સગવડવાળો, તેથી એ ભોગવતાં છુપી સામાન્ય પણ કાયમમતા પોષાઇ હોય. જે મમતા અંતિમ સમયે એકાએક આવી પડેલી વેદનાના કાયકષ્ટ વખતે હાયવોય અને આર્તધ્યાન કરાવી ગઇ.
(૨) બીજાં કારણ આ હોઇ શકે કે બન્નેને કષ્ટ આવ્યું ખરું, એકને ખોપરી ફાટી, બીજાને પેટ ફાટયું, પરંતુ મરૂભૂતિને જે ગુન્હેગારોની પણ પાસે ક્ષમા માગવા ગયા એના તરફથી ખોપરી ભંગાઇ તેથી હું ક્ષમા માગું છું ને આમ કરે છે ? મારું માથું ફોડે છે ? એમ સ્હેજે કચવાટ આવ્યો હોય, અહંત્વ નડયું હોય કે તું ભારે ગુન્હેગાર અને હું તારા કષ્ટમાં સહેજ નિમિત્ત બનવા રૂપે ગુન્હાવાળો બન્યો ખરો પણ આમ તો સદાચારી અને તને રાજા પાસે સજા ક૨ાવવા કશું કહેનારો ય નહી. અરે ! એવું ચિંતવનારો ય નહીં એવા મને તું
આ કરે ? આવી રીતે મરૂભૂતિની સાથે પીડા આપનારો કમઠ ચેતન જીવ હોઇ અભિમાન ઉઠ્યું હોય તેથી મન અશુભ ધ્યાનમાં પડી ગયું ત્યારે પેલા નોકરને પીડા જડ લાકડાના ખુંટાથી આવી એ જડની સામે અભિમાન જાગવા અવકાશ ન રહ્યો તેથી એ નિમિત્ત, અશુભધ્યાનમાં થતું અટક્યું.
(૩) બાકી ત્રીજાં કારણ તો એ છે કે કાયા પર એકાએક આવી પડેલી વેદનામાં તત્કાલ હાય કે વોય ન થાય એવા જીવો જગતમાં વિરલ. એ હિસાબે મરૂભૂતિ ભુલો પડે એમાં નવાઇ નથી. છતા એ જ પાછો હાથીના ભવે, એજ રાજા અરવિંદ, જે અવધિજ્ઞાની મુનિ બનેલ, એમનાથી ‘બુજ્સ બુજ્સ મરૂભૂઇ’ના અનેકવા૨ના ઉદ્બોધનથી પૂર્વજન્મનું સ્મરણ પામી પ્રતિબોધ પામ્યો તો પછી
Jain Education International
૧૨૭
For Private & Personal Use Only
www.jainelibrary.org