________________
કષાય-નિગ્રહ વખતે એ કૂણાશ કેમ બને ? વળી પ્રભુને સહન કરવાનું આવી પડયે સહિષ્ણુતા ગુણ એવો હોય છે, કે ત્યાં સમભાવમાં જે રહેવાની લગન, પોતાની ચિત્ત-સમાધિ જાળવવાની જ તત્પરતા, એટલે ત્યાં સામો શું કરે છે ? શાનો જુલ્મ કરે છે એવો પરનો કશો વિચાર જ નહિ? તેથી ઉપસર્ગ-સહનની સાધનાના કાળમાં પોતાના આત્માનો વિચાર હોવાથી સામાની પરિસ્થિતિનો વિચાર ક્યાંથી કરે ? આરાધક આત્માને દુઃખ વખતે પોતાના આત્માને સમભાવમાં રાખવાનો જ વિચાર હોય, પણ દુ:ખદાતા પરનો વિચાર નહિ.
બીજી વાત એ છે કે સંગમને પાપથી બચાવવાનું પ્રભુથી શક્ય ન્હોતું, કેમકે એ જીવદળ જ ભયંકર પાપ-પરિણતિવાળું હતું.
[0] મૂર્તિ તો સાકાર છે; એ સાકાર મૂર્તિને ભજવાથી વળી નિરાકાર
પરમાત્માની પ્રાપ્તિ થતી હશે ? સાકારને ભજો એટલે મન સાકારમાં જ રમ્યા કરે, એ નિરાકારમાં જઈ જ શી રીતે શકે? પરમાત્માની મૂર્તિના આલંબને મન સાકારમાંથી નિરાકારમાં બાદબાકી કરતો કરતો જાય છે; તે આ રીતે, - ભક્ત મંદિરે દર્શન
પૂજન કરવા નીકળે ત્યારે એના મગજમાંથી દુનિયા બાદ થઇ જાય છે. મંદિર દેખતાં આંખ બીજા-ત્રીજા પરથી હટી મંદિર પર ચોંટે છે. આ બીજા-ત્રીજાની બાદબાકી થઇ. મંદિરની અંદર પેસતાં ભગવાન દેખાય એટલે મંદિરની બીજી વસ્તુ બાદ થઇને આંખ ભગવાન પર ચોંટે છે. પછી ભગવાનનાં દર્શન કરતાં આંખ ભગવાનની કાયા પરથી મુખ પર, મુખમાંય આંખ પર, અને આંખમાંય વીતરાગની કીકી પર ચોંટે છે. આમ એકેક બાદ થતાં કીકી ઉપર પહોંચાયું. હવે વીતરાગની કીકીમાં ય વીતરાગતાનીનિર્વિકારતા-ઉદાસીનતા જોવાની છે.
વીતરાગની કીકીમાં નિર્વિકારતા જોવા આમ વિચારાય,
N૧૧૮૦
૧૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org