SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદનબાળાને ભોંયરામાં ભૂખી ભૂખી પુરાવાનું આવ્યું. તો ત્યાં એણે ભૂખમરાથી સોસાવાને બદલે ઉપવાસ તપનો આચાર પાળવા માંડયો. તે પણ હાય ! ભૂખે મરવાનું આવ્યું તો તપ ન કરું તો બીજું શું કરું? એમ દીન હીન બનીને નહિ, પરંતુ “વાહ ! મારા પ્રભુ કેવા ઉપકારી કે આવા સંયોગમાં ઉપવાસ તપ કમાઇ લેવાનું દેખાડયું!” એમ વિચારી પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા પુષ્ટ કરી. પછી એ ઉપવાસમાં ય પ્રભુ નામની “નમો મહાવીરાય, નમો મહાવીરાય” આવી કોઇ રટણા અને કર્મવિપાક વગેરે પ્રભુનું તત્ત્વચિંતન જમાવ્યું. એથી પછી શ્રદ્ધા કેમ જ્વલંત ન બને ? બસ, આ વાત છે - જિનશાસનની કુશળતા એ શ્રદ્ધા-દેહને દેદીપ્યમાન કરનારો અલંકાર છે. આજના બહુવિધ ભૌતિક પ્રવૃત્તિના યુગમાં આપણી દેવ-ગુરૂ-ધર્મની શ્રદ્ધાને સુશોભિત કરવા માટે જિનશાસને ફરમાવેલ આચાર-અનુષ્ઠાનો કુશળપણે આરાધવાની પ્રવૃત્તિ અત્યંત આવશ્યક છે. કારણ એ છે કે ભૌતિક પ્રવૃત્તિઓથી મન ભૌતિકતાથી રંગાય છે. તો એવા મનને આધ્યાત્મિકતાથી રંગવું હોય તો ખાલી કોરી ધર્મશ્રદ્ધાથી નહિ ચાલે. પણ ધાર્મિક પ્રવૃત્તિઓ દિલ દઇને કુશળપણે આરાધવી જોઇએ. એ ખૂબ ખૂબ આરાધતાં મન ધર્મપ્રેમધર્મપ્રવૃતિથી રંગાય છે. પ્રવૃત્તિ બધી જ દુન્યવી હોય ત્યાં રંગ એના જ ચડે, ધર્મના નહિ, એ સ્પષ્ટ છે. પ્રભુએ પોતાના નિમિત્તે સંગમ દેવતા બિચારો કર્મ બાંધી ગયો | Iો એવો દયાનો વિચાર ઉપસર્ગો પત્યા પછી કર્યો એના કરતાં પહેલાં જ કેમ વિચાર કરીને એને પાપથી બચાવી ન લીધો? એ એટલા માટે, કે પહેલા પ્રભુની ઉપસર્ગ-સહનની અને કષાયઉપશમની સાધના ચાલતી હતી : એ ભયંકર કષ્ટમય સાધનામાં જાત પર કઠોર દિલ રાખવું પડે ત્યારે સામા પર દયા ચિંતવવી હોય તો દિલને અતિ કોમળ બનાવવું પડે. કષાયો દબાવવા મનમાં કઠોરતા જોઇએ. કરૂણા ચિન્તવવા મનમાં સામા જીવ પ્રત્યે કૂણાશ જોઇએ. ૧૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004962
Book TitleTarkna Tankna Shraddhanu Shilpa
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy