SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ પરની શ્રદ્ધાને જ્વલંત બનાવી. ત્યારે જો જીવમાં અલ્પ પણ વ્રત નિયમોથી તે તે વિષયોને આસક્તિ છોડવાની વાત જ ન હોય આસક્તિની ગુલામી અને વિટંબણા પ્રત્યે અફસોસી ન હોય તો આસક્તિને મહાપાપ લેખાવનાર જિનશાસન પર શ્રદ્ધા શી રીતે જ્વલંત બને ? એ તો કાંઇ ને કોઇ વ્રત નિયમ હોય, તો “અહો કેવું સરસ જિનશાસન ! અહો કેવી સુંદર એની વ્રત-નિયમ પદ્ધતિ ! કે વિષયાસક્તિ પર નિયંત્રણ મુકાય છે !” – એમ જિનશાસન પર અહોભાવ થાય ને જિનશાસનની શ્રદ્ધા જ્વલંત બને. એટલા માટે તો યોગદ્દષ્ટિ શાસ્ત્રમાં સમ્યકત્વની યોગષ્ટિ પામવા પૂર્વે પાંચ યોગબીજોનો સંગ્રહ કરવાનું કહ્યું, એમાં એક બીજા ‘દ્રવ્યાભિગ્રહપાલન” મૂક્યું છે, અર્થાત્ દેવગુરુની સેવાના અને વિષયત્યાગના વ્રતનિયમ કરે. ભલે હજી એવા શ્રદ્ધાના ભાવ ન જાગ્યા હોય, મનમાં ભાવથી અભિગ્રહ ન ઊઠતા હોય, છતાં દ્રવ્યથી અભિગ્રહ કરે. દ્રવ્ય અભિગ્રહો કરવાનું કેમ કહ્યું ? કારણ એ, કે એ અભિગ્રહો પાળતાં પાળતાં આત્માથી જીવને એનો આનંદ ઊભો થાય છે. વળી શ્રદ્ધા ઊભી થયા પછી પણ વ્રતનિયમ કરવાનું ચાલું છે તો એ શ્રદ્ધા દીપ્તિમાન બને છે. જ્વલંત બને છે. જેવું વ્રતનિયમનું છે એવું જિનશાસને ફરમાવેલ ધાર્મિક આચાર અનુષ્ઠાનનું છે એનો આદર-અમલ કરતાં કરતાં પણ જિનશાસન જૈન ધર્મ પ્રત્યેની શ્રદ્ધા જ્વલંત બને છે. આ અનુભવવાની વસ્તુ છે. ાિને ને શ્રદ્ધાને શો સંબંધ કે ક્રિયા કરતાં કરતાં શ્રદ્ધા વધે? નવા સ્નેહી બનેલાને અવારનવાર જમાડતાં જમાડતાં પ્રેમ વધે છે ને ? તો પછી જિનભક્તિ આદિ ધર્મ કરતાં કરતાં ધર્મપ્રેમ-ધર્મશ્રદ્ધા ન વધી શકે ? એમ કહો, - ધર્મશ્રદ્ધાને વ્યક્ત થવાનું ધર્મક્રિયામાં મળે છે. ધર્મશ્રદ્ધાને પુષ્ટ થવાનું ધર્મસેવનમાં બને છે. માત્ર ક્રિયામાં કુશળતા જોઇએ. ૧૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004962
Book TitleTarkna Tankna Shraddhanu Shilpa
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy