________________
પૈસા પર રાગને પ્રતિકૂળ વિચારણા
પરંતુ જો વિવેકથી રાગને પ્રતિકૂળ વિચારે કે “અરે ! આ ગોઝારા પૈસા પર રાગ કરૂં છું ? જે પૈસા મગજમાં આવે ત્યારથી ધર્મની વિચારણા ભૂલાવે ! આત્મા પરમાત્માને ભૂલાવે, જે પૈસે દાનને બદલે સંગ્રહ કરી રાખવાનું શીખવે, એવા જાલિમ પૈસા પર રાગ ? જેનાથી દેવ-ગુરૂની ભક્તિને બદલે મોહાંધ કુટુંબનાં જ વધુમાં વધુ પોષણ થાય અને એ રીતે મારાં આત્માને જે ઉલ્લુ બનાવે, એવા પૈસા પર રાગ ?''
આ કેવી વિચારણા? રાગને તોડનારી, ત્યાં પછી રાગનું બહુ ઉપજે નહિ. રાગ મુડદાલ નિષ્ફળ જેવો બની જાય. એમાંથી કર્મ નહિવત્ જ બંધાય. એ પણ કર્મ આગળ પ્રર પાકીને નહિવતું જ રાગ કરાવે, ને એમ કરતાં એક દિવસ આત્માનો રાગ સર્વથા નષ્ટ થતાં વીતરાગતા આવે ને સંસારનો અંત થાય. માટે કહેવાય કે રાગ-કર્મ અને રાગની અનાદિની પરંપરાનો ય અંત આવી શકે છે.
શ્રદ્ધા તો આંતરિક ભાવ છે, એ બાહ્ય એવા આચાર-પાલન કે અનુષ્ઠાન સેવનથી શોભિત બને ? શી રીતે ? બને. એ રીતે બને કે જેમ પુત્રને માતા પર આંતરિક પ્રેમ-ભક્તિ છે પરંતુ જો એ માતાની બાહ્ય સેવા કરે, માતાનું કામકાજ બજાવે તો જ
' અંતરની પ્રેમ-ભક્તિ દેદીપ્યમાન બને છે. એમ અહીં આંતરિક માર્ગ-શ્રદ્ધા બાહ્ય માર્ગપાલનથી દેદીપ્યમાન બને એમાં નવાઈ નથી. તત્ત્વની માર્ગની શ્રદ્ધા તો કરી કે “આ વ્રત-નિયમ એ જ તારણહાર છે, દુન્યવી આસક્તિ અવિરતિ છોડી વ્રત-નિયમ જ કર્તવ્ય છે. પરંતુ એની સાથે વ્રતનિયમ લઇ પાળી જાઓ તો મનમાં વ્રત-નિયમોથી છોડેલા વિષયો પર એવી આસક્તિ ન ઊભી થાય અને પોતાના અહોભાગ્ય માને કે 'હાશ ! મારે આટલી આસક્તિ ટળી. કેવું આ બતાવનાર કલ્યાણકારી જિનશાસન! કેવું પાપથી અને પરલોકના દુ:ખથી બચાવનાર સુંદર જિન શાસન!”
જિન-જિનશાસન માટે અહોભાગ્ય માન્યું એ શું કર્યું ? એમના
૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org