________________
એમ છ આવશ્યકના ક્રમે પચ્ચક્ખાણકરવા જતાં સૂર્યાસ્ત વીતી જાય. તેથી સૂર્યાસ્ત પહેલાં જ દિવસચરિમનું પચ્ચક્ખાણ કરવું જરૂ૨ી અને સાર્થક બને. એ માટે અહીં સામાયિક લઇને બે વાંદણા લઇ તરત એ કરી લેવાય છે.
કર્મ અને રાગાદિની પરંપરાનો ભવિષ્યમાં કદી અંત જ ન આવે. કેમકે અહીં રાગાદિ ભાવથી નવાં રાગ મોહનીય કર્મ ચોંટવાના અને એ કર્મના ઉદયથી ભવિષ્યમાં રાગાદિ ભારે જાગવાના. એથી વળી નવાં કર્મ અને એનાથી આગળ પણ રાગાદિ ભાવ.... આમ અંત જ શાનો આવે ? ને એ વિના મોક્ષ પણ શાનો જ થાય ? સોપાધિક મામલો અનાદિ કાળથી ચાલ્યો આવે છે તે શાશ્વત કાળ ચાલ્યા કરવાનો ?
1.
૯૫
રાગાદિથી કર્મ બંધાય છે એ વાત સાચી, પરંતુ એને જેવા અનુકૂળ વિચાર-વાણી-વર્તાવ પુરુષાર્થનો સહારો મળે તે પ્રમાણે કર્મ બંધાય છે. વિચારણા ઉગ્ર કોટિની હોય તો ઉગ્ર કોટિના કર્મ બંધાય, મંદ કોટિની હોય તો મંદ કોટિનાં કર્મ બંધાય. વિવેકથી વિચારણા કરતા જો રાગાદિને પ્રતિકૂળ હોય તો એ રાગાદિ નિષ્ફળ જાય, અર્થાત્ તેવાં કર્મ ન બંધાવે. વિચારણાના પુરુષાર્થ ૫૨ કર્મબંધનો મોટો આધાર છે.
પૈસા પર રાગને અનુકૂળ વિચારણા,
દા. ત. પૈસા સારા કમાયા ને અંત૨માં પૈસા પર રાગ ઊઠ્યો. હવે જો એના પર એને અનુકૂળ ઉગ્ર વિચારણા ચાલે દા.ત. ‘બસ, શું પૈસા મળ્યા છે, કમાલ થઇ ગઇ ! હવે આને બરાબર સાચવી રાખું કેમકે પૈસા છે તો બધું છે. આ પૈસા ૫૨ જ પત્ની વગેરે બરાબર અનુકૂળ વર્તવાના, ખૂબ સેવા આપવાના બીજું ય બધું પૈસાના આધારે મન માન્યું બનવાનું માટે એને મારે બરાબર સાચવવાના, આજકાલ માંગણિયા ઘણા આવે છે પણ એક પૈસો ન ૫૨ખાવું ને લૂંટવા આવે તો લમણું તોડી નાખું. વાહ પૈસા ! વાહ ! આ ઉગ્ર કોટિની વિચારણા પર ચીકણાં કર્મ બંધાય, અને એમાં ચીકણું મોહનીય-કર્મ ખાસ બંધાય. એથી જો મંદ કોટિની વિચારણા હોય તો કર્મ મંદ બંધાય.
""
Jain Education International
૧૧૪
For Private & Personal Use Only
www.jainelibrary.org