________________
વડાઇ માની કે ન એની સ્પૃહા કરી. હવે જો આમાંથી લવલેશ જેવી નમ્રતા અને અનુત્કર્ષ મળે, એટલી જ કે પરિચિત સગા-સ્નેહી આદિ બહુ થોડા મનુષ્યો પ્રત્યે ન તો અહત્વની કે ન સન્માનની ભૂખ અપેક્ષા રહે, તો એના પર તો વિશુદ્ધ ધર્મસાધના થઇ જીવની ઘણી ઉચ્ચતા થાય. દેખાય છે કે, જીવ ઘણાં પાપો કરે છે તેમ ધર્મ પણ સાધે છે. એ અહત્વ અને માનાકાંક્ષા ઉપર. તે ય કોની આગળ? ગણતરીના સ્વાર્થી મનુષ્યો આગળ. આ જો નીકળી જાય તો વિશુદ્ધ ધર્મ સધાઇ, બધી ભૂખ ભાંગી જતાં શી વાર?
(૪) જીવને એક ભૂખ આહારસંજ્ઞાની છે. પ્રભુનું અક્ષયસુખ એ અને બીજી સંજ્ઞાઓના અનંત નાશના ઘરનું છે તો એમાંથી લવલેશ મળે, તો જીવની માત્ર આહારસંજ્ઞા દબાવા પર પણ એવા તપ સ્વાધ્યાયાદિ મહાન ધર્મોની સાધના થાય એવી છે કે જે એને બહુ ઊંચે ચડાવી સર્વ સંજ્ઞાનાશે પહોંચાડી દે.
(૫) જીવની એક ઇચ્છા પોતાના પૂર્વ ભવ જાણવાની રહે છે. પ્રભુનું અક્ષયસુખ પહેલાં કહ્યું તેમ અનંતા જીવોના ભૂતભાવી અનંતાનંત ભાવોના જ્ઞાન પર ઊભું છે. એમાંથી માત્ર લવમાત્ર જો મળે અને જીવને પોતાના સંખ્યાતા ચારે ગતિના ભવોનું સ્મરણ મળી જાય, તો ય એની નરકાદિ ભવોની વેદના જાણી તથા દેવાદિ ભવોના બહુ ઊંચા સુખોના પણ અંત પછીની દુર્દશા જાણી મહાવૈરાગ્ય આવે અને કઠોર સંયમાદિ ધર્મસાધના થઇ કામ નીકળી જાય.
આમ જીવને અનેક રીતે પ્રભુનાં અક્ષય સુખમાંથી લેશ પણ મળતાં જીવની વાસનાઓ શમી જાય છે. અને એના પર પાપમાત્રના ત્યાગ થઇ મહાતેજસ્વી શુદ્ધ ધર્મસાધનાઓ સધાય એવી છે કે જેથી પછી બધી ય ભૂખનો સર્વથા નાશ થઇ વીતરાગ-સર્વજ્ઞતા અને મોક્ષ મળે એવા છે. માટે કવિએ માંગ્યું કે “તુજ અક્ષય સુખની રસવતી, તેહનો લવ દીજે મુજ, ભૂખ્યાની ભાંગે ભૂખડી....'
એમ અક્ષયસુખના લવથી સર્વભૂખ ભાંગે એ વસ્તુ સુસંભવિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org