SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ હવે જો પ્રભુના આ અનંત જ્ઞાનના અક્ષય સુખનો લવલેશ મળે તો આપણી નવું નવું જાણવાની ભૂખ આ રીતે ભાંગે-પ્રભુનું કેવળજ્ઞાન સર્વ અનંતાનંત દ્રવ્યોનાં સમસ્ત પર્યાયો (ત્રિકાળની સમસ્ત અવસ્થાઓ) જાણે છે. આમાંના માત્ર એક જ દ્રવ્યનું એના સર્વ પર્યાયો સહિતનું જ્ઞાન એ પ્રભુનાં જ્ઞાનનો લવલેશ કહેવાય. એ મળે તો ભૂખ એટલા માટે ભાંગે, કે શાસ્ત્ર કહે છે કે ‘જે એગં જાણઇ સે સવ્વ જાણઇ’ અર્થાત્ જે એક દ્રવ્યનું સંપૂર્ણપણે જાણે છે. તે સર્વ દ્રવ્યોને સંપૂર્ણપણે જાણે છે, કેમકે એ એક દ્રવ્યનો સ્વ-પર પર્યાયોથી અર્થાત્ અનુવૃત્તિ-વ્યાવૃત્તિ સંબંધથી સમસ્ત દ્રવ્યો સાથે સંબંધ છે. એટલે એક દ્રવ્યને સંપૂર્ણપણે જાણવામાં સર્વદ્રવ્યોની સંપૂર્ણ જાણકારીનો સમાવેશ થઇ જ જાય. આ રીતે પ્રભુએ જાણેલ અનંતાનંત દ્રવ્યોમાંના લેશભૂત એક દ્રવ્યનું જ્ઞાન સંપૂર્ણ જ્ઞાન મળવાથી નવું નવું જાણવાની બધી ભૂખ મટી જાય. (૨) જીવને ઇન્દ્રિયોના વિષયોની ભૂખ રહે છે. એ પણ પ્રભુના અક્ષય સુખના લેશથી આ રીતે ભાંગે-પ્રભુનું અક્ષય સુખ વીતરાગતા પર છે. કેમકે વીતરાગ થયાથી એમને કોઇ પણ દુઃખ પર દ્વેષ જ નહિ હોવાથી દેખીતું શારીરિક દુઃખ દુઃખરૂપ જ નથી લાગતું. એ જ જાણે અત્યાચારથી અક્ષય સુખ. હવે એ વીતરાગતાનો આપણને લેશ મળે, અર્થાત્ વીતરાગતા તો અનંતાનંત મોહનીય કર્મના નાશરૂપ છે. એમાંનો લેશ એટલે કે માત્ર દર્શન મોહનીય કર્મનો સર્વનાશ મળે, તો ક્ષાયિક સમ્યગ્દર્શન પ્રગટ થાય, એથી વિષયો ખરેખર વિષરૂપ લાગી જવાથી એની તૃષ્ણા મટી જાય. કહ્યું છે, ‘તાણી આણે રે સમકિત વિરતિને.' વિરતિ એટલે વિષયેચ્છાની નિવૃત્તિ. (૩) જીવને પોતાનું અહંત્વ ઊંચું રાખવાની આકાંક્ષા અને માનાકાંક્ષા બહુ રહે છે એ પણ આકાંક્ષા મોટી ભૂખ છે ત્યારે પ્રભુનું અક્ષય સુખ, અનંત નમ્રતા અને અનુત્કર્ષ (માનની નિસ્પૃહા) ના ઘરમાંથી ઊભું થયેલું છે. કેમકે એમને તો જનમતાં દિક્કુમારીઓએ હુલરાવ્યા, કોટિગમે દેવો ઇંદ્રોએ મેરુ પર હવરાવ્યા-સન્માન્યા અને સુરેન્દ્ર-નરેન્દ્રોએ દીક્ષા વરઘોડે પાલખીમાં ઊંચકાયા-શોભાવ્યા તથા તીર્થંકરપણે પ્રાતિહાર્ય, નવકમળ, સમવસરણ આદિથી ઉત્કૃષ્ટ માન-સન્માન મળ્યાં, છતાં પ્રભુએ લેશમાત્ર ન Jain Education International ૧૦૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004962
Book TitleTarkna Tankna Shraddhanu Shilpa
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy