________________
પગમાં બેડી નાંખી ભોંયરામાં પૂરી; જ્યાં ત્રણ દિવસ ભૂખી તરસી રહેવું પડયું. આમ ચંદના ૫૨ કેટલું દુ:ખ ત્યાં મનને શું એમ ન થાય કે ‘હાય ! બાપ ગયા, મા ગઇ, રાજ્ય ગયું, પછીય અહીં ધનાશેઠને ત્યાં શાંતિ ન મળી ? આ મજેનો કેશકલાપ કપાઇ જઇ ભોંયરે બેડીએ જકડવાનું આવ્યું ? મારે ઘરનું કોઇ નહિ એટલે આ ? આવા કોઇ ઓશિયાળા નહિ. રુદન નહિ, સંતાપ નહિ, પણ ત્રણ દિવસ-રાત મહાવીર પ્રભુનું નામ જપવા ૫૨ મહાન શીતલતા, શાન્તિ. તેથી તો ત્રણ દિવસે પત્તો મળતાં ધનાશેઠ ત્યાં આવી ‘હાય ! દીકરી ! તારી આ દશા?' બોલતાં ધ્રુસકે રડી પડયા, તો ચંદના એમને આશ્વાસન આપે છે, “રુઓ શું કામ ? મારે તો મારા પ્રભુનું નામ અખંડ રટવાની ભારે અનુકૂળતા અને મજા થઇ, એમાં દુઃખ શું ?’ પ્રભુનામની કેવી શીતલતા ?
પાલક પાપીએ મુનિસુવ્રત ભગવાનના શિષ્ય બંધકસૂરિના ૪૯૯ શિષ્યોને ઘાણીમાં પીલી નાંખ્યા પછી બાળમુનિનો વારો આવ્યો. એ ગભરાયા નહિ, પૂર્વ મુનિઓનાં પરાક્રમ જોઇ એમને શૂરાતન ચડયું, તે ઘાણીમાં જાતે કૂદી પડયા. પીલાતાં શરીર ભચડભચ છૂંદા થઇ રહ્યું છે. કેટલો અતિ ભયંકર ત્રાસ ? પરંતુ એમણે ઝાઝું ભણેલા નહિ છતાં મુનિસુવ્રત પ્રભુનું નામ ૨હ્યા કર્યું. એ નામે એવી શીતલતા આપી, અંતરના દ્વેષનો તાપ ખત્મ કર્યો કે પાલક પર એમને દ્વેષ ન જાગ્યો, હાયવોયનો તાપ ન અડયો. ભગવાનના નામની કેવી લગન લગાડી કે બસ, જાણે મન બોલે છે. ‘અહાહાહા ? કેવું પ્યારૂં પ્રભુનું નામ ! મુનિસુવ્રતનાથ ! મુનિસુવ્રતનાથ ! ... મારે સંબંધ પ્રભુ સાથે, શરીર સાથે શો સંબંધ ? પ્રભુનામ સાથે સંબંધ, શરીરપીડા સાથે શો સંબંધ ? આમ પ્રભુના નામથી ઠંડક એવી થઇ કે કારમી વેદનાના તાપ સંતાપ ઊઠયા જ નહિ, ખેદ ન થયો, ધ્યાનમાં ચડી મોક્ષે ગયા.
બસ, પ્રભુનું નામ જબ્બર શ્રદ્ધા સાથે રટાય તો અંતરના તાપ સંતાપ મિટાવી અલૌકિક શીતલતા મળે છે.
૮૭
સમ્યક્ત્વ વિના સમ્યક્ ચારિત્ર ન હોઇ શકે, એવું કેમ ? આનું કારણ સ્પષ્ટ છે. સમ્યક્ચારિત્ર મૂળમાં બે વસ્તુ માગે છે :
૧૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org