________________
પ્લેટ કેમ બને એ ન્હોતા જાણતા ? એવું કાંઇ નથી. સર્વજ્ઞના જ્ઞાનમાં કશું અજ્ઞાત નથી. માત્ર એ જોતા હતા કે આવું અણુનું વિશ્લેષણ અને એમાંથી ઉત્પન્ન થતી ઇલેક્ટ્રિસિટિ, ટેલિફોન, ટેલિવિઝન, રેડિયો, ફોટોગ્રાફ વગેરે તો જીવોના અહિતમાં છે, વિલાસી વૃત્તિના પોષક કે ઇન્દ્રિયોને બહેકાવનારા તથા આત્મદ્રષ્ટિ પરલોકદ્દષ્ટિ વગેરેથી દૂર પાડનારા છે, માટે જગતના બચાવ અર્થે એ બધું જાણતાં છતાં બતાવ્યું નહિ.
પરંતુ મિથ્યાત્વનો કેફ હોય ત્યાં આ વાત નથી સમજાતી કે જ્ઞાનીઓએ કહ્યું નહિ, બતાવ્યું નહિ માટે એ હોતા જાણતા એમ નહિ. જાણતા તો હતા જ, પરંતુ અહિત ન થઇ જાય એટલા માટે બતાવ્યું નહિ, જીવોનું અહિત એટલા માટે કે જીવો અનાદિરૂઢ મોહની વાસનાઓથી ભરેલા છે, પાછા મૂઢ છે તેથી જડની આસક્તિને લીધે જડની વધારે સગવડ કરવા જતાં અહિત થાય એ સમજતા નથી. આજે દેખો છો ને કે યંત્ર, રેલગાડી, મોટર, વિમાન, ટેલિફોન, રેડિયો વગેરે વગેરેની સગવડો થવાથી માણસની જરૂરિયાતો એટલે કે લોભ કેટલો વધ્યો છે ? એ મેળવવા પાપપ્રવૃત્તિ કેટલી બધી વધી પડી ? સારા ગણાતા શ્રાવકો પણ રાત્રિભોજન કરતા થઇ ગયા છે ને ? ટેક્સચોરી ધૂમ ચાલી પડી છે ને ? બજાર, ધંધા અને બીજાને મળવા કરવાની બહુ લપમાં શ્રાવકનાં અનુષ્ઠાન પ્રતિક્રમણ-પૌષધ વગેરેની બેપરવાઇ કરી રહ્યા છે ને ? આમ પાપવૃત્તિ કેટલી બધી વધી પડી ? ત્યારે લક્ષ્મી અને જડસરંજામ વધાર્યા પછી એને સાચવવા પાછળ કેટકેટલા આર્તરૌદ્રધ્યાન, પાપવિકલ્પો, મમત્વના આવેશ, માયા પ્રપંચ વગેરે વધી પડ્યા છે? તો ભોગવવામાં લંપટતા મદ-અહંકાર વગેરે કેટલા ? આજે તો સામાન્ય સ્થિતિના માણસોને ય ઉદ્ભટ ભોગ સુલભ થઇ ગયા ! ત્યાં આત્માની કેટલી બધી દુર્દશા ? પૂર્વના કાળે લક્ષ્મી તો હતી, પરંતુ વિજ્ઞાને શોધેલ સગવડો નહોતી એ વખતે જીવનમાં જડના વિચાર-વાણી-વર્તાવ કેટલા ઓછા ને આજે કેટલા ફાલ્યા-ફૂલ્યા?
એ તફાવત લક્ષ્યમાં લઇએ તો સમજાઈ જાય કે જ્ઞાની ભગવંતોએ જાણવા છતાં આ ચીજો ન બતાવી એમાં જીવોનું હિત હતું. બાકી વિજ્ઞાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org