________________
નોકર શેઠને ગમ્યો એટલે કે શેઠે એના પર રાગ કર્યો, શેઠ રાજી થયા, એટલો અર્થ નથી. કેમકે જો શેઠ એનું મૂલ્યાંકન નથી કરતા અને બીજા ગરબડયાં પણ ‘મારતે મિંયા’ નોકરનું અવસરે બક્ષિસ વગેરેથી મૂલ્યાંકન કરે છે, તો કોણ કહેશે કે ‘પેલો સારો નોકર શેઠને ગમ્યો ?’
સારાંશ:, ગમવું એટલે ખરૂં મૂલ્યાંકન કરવું. પ્રસ્તુતમાં ‘જે નમે, તે પ્રભુને ગમે, નો અર્થ એ છે કે તે નમનારનું પ્રભુ સારૂં મૂલ્યાંકન કરે છે. પ્રભુનું ઊંચું મૂલ્યાંકન એટલે પ્રભુના જ્ઞાનમાં સારા વિષય તરીકે સ્થાન પામવું. પ્રભુ પહેલાં એ નમનારાને કેવળજ્ઞાનમાં અહંકારી વગેરે તરીકે જોતા હતા, તે હવે નમનથી એને વિનમ્ર સારા જીવ તરીકે એટલે કે આત્મોન્નતિના પગથિયા ચઢનાર તરીકે જુએ છે.
જો કેવળજ્ઞાનીનું આ પ્રમાણપત્રક મળતું હોય તો આત્માનું કેટલું મોટું સૌભાગ્ય ગણાય ? તીર્થંકરને નમન કરતાં એ ભગવાનને કેવો સરસ ગમ્યો ગણાય ?
એકેન્દ્રિય જીવ અનંતા દુ:ખ સહ્યા કરે છે, તેના પર ભગવાને શો ઉપકાર કર્યો ? શી કરૂણા કરી ?
ભગવાને જગતને ષટ્કાય જીવોનું પુરૂં જ્ઞાન કરાવ્યું અને અભયદાન શીખવ્યું, તે અભયદાનના જ્ઞાનથી ભવ્ય જીવો એકેન્દ્રિય જીવની રક્ષા કરે છે, માટે ભગવાને એકેન્દ્રિય જીવો પ૨ કરૂણા કરી ગણાય.
પ્ર. પણ એકેન્દ્રિયનું પોતાનું શું કલ્યાણ કરે ?
ઉ. એકેન્દ્રિયનું હિતરૂપ એટલા માટે કે ભગવાન એકેન્દ્રિય આદિ લોકનું યથાર્થ પ્રતિપાદન કરનારા છે. જેમ કે તમે ફૂંક મારો તો તે એકેન્દ્રિયને શસ્ત્ર સમાન બને છે. પાણીને અડવાથી તેને કંપ થાય તેથી કેટલાય અપ્લાય જીવ ખલાસ થાય છે. આવું વસ્તુનું યથાર્થ નિરૂપણ ભગવાન કરે છે અને ત્યાં વસ્તુનું યથાર્થ નિરૂપણ એ પારમાર્થિક દ્દષ્ટિએ વસ્તુનું હિત છે એમ
Jain Education International
૯૯
For Private & Personal Use Only
www.jainelibrary.org