________________
પરલોકમાં મારું શું થાય ?
(૬) આમ દીક્ષાની ઉતાવળ ન હોય તો પાપધૃણા-પાપભયના અભાવે પાપનિર્ભીકતા રાખતાં કદાચ સમ્યક્ત્વના વાંધા પડે.
તેમ, માનો કે પાછળથી દીક્ષા લે, પરંતુ
(૭) પહેલેથી પોષેલી આ પાપ-નિર્ભોક્તા ચારિત્રજીવનમાં જોરદાર ચારિત્ર ન પાળવા દે.
પાપ-નિર્ભીક્તાના સંસ્કારથી નાનાં નાનાં પાપની ધૃણા ન થાય.
સારાંશ, જો પાપની જોરદાર ધૃણા છે, પાપનો જોરદાર ભય છે, તો ચારિત્રની ઉતાવળ હોવી જ જોઇએ.
એટલે પ્રભુ પાસેથી આયુષ્ય જાણી લેવાની વૃત્તિમાં ચારિત્ર વિલંબમાં નાંખવાની વૃત્તિ છે, એ કનિષ્ઠ વૃત્તિ છે. જો ચારિત્રની તીવ્ર ભૂખ અને ઉતાવળ છે, તો એવી કનિષ્ઠ વૃત્તિ પોષી શકાય નહિ, માટે પ્રભુ પાસેથી કે જ્યોતિષી પાસેથી આયુષ્ય જાણી લેવાનો અભરખો જ ખોટો છે. અભયકુમારને ચારિત્રની તીવ્ર ભૂખ જાગી છે, અને “કાળચોર ક્યારે પ્રાણ લૂંટી જાય એનો ચોક્કસ હિસાબ નથી. માટે ચારિત્ર હમણાં ને હમણાં જ લઇ લેવું' એવો હિસાબ અભયકુમારે રાખ્યો અને પિતાને સંમત કરી તરત જ ચારિત્ર લઇ લીધું!
ભગવાન તો જાણતા હતા કે “પરમ શુદ્ધ ભાવવાળા વિતરાગ જે થવાય છે, તે તો બાહ્ય કષ્ટમય ધર્મપ્રવૃત્તિ પર નહિ, પરંતુ અંતરના
ભાવ શુદ્ધ શુદ્ધતર થવા ઉપર થવાય છે, તો એ ભાવ શુદ્ધ કરવા પર જ જોર લગાવવું જોઈતું હતું, પણ ભગવાને તપ-કાયોત્સર્ગપરિષહસહન.... વગેરે બાહ્ય ધર્મપ્રવૃત્તિ પર કેમ જોર લગાવ્યું?
ભગવાને બાહ્ય ધર્મપ્રવૃત્તિ ખૂબ કરવા ઉપર જોર એટલા માટે લગાવ્યું કે પ્રભુ જાણે છે કે અંતરના ભાવ શુદ્ધ શુદ્ધતર થશે તે આ કડક અને ખૂબ ખૂબ ધર્મપ્રવૃત્તિઓ કરવા પર થશે. અનાદિ કાળના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org