________________
૭૩
આનંદઘનજી મહારાજે સ્તવનમાં ગાયું કે “ચિત્તપ્રસન્નીને પૂજન ફળ કહ્યું રે પૂજા અખંડિત એહ તો, જિનપૂજાથી પ્રસન્નતા થઇ એમાં પૂજા અખંડિત શી રીતે રહે? ચિત્તની પ્રસન્નતા થાય તો પૂજા સાનુબંધ બને છે, અર્થાત્ પૂજાની પરંપરા ચાલે છે. એ ન ચાલે તો નિરનુબંધ કહેવાય. આપણે પૂજન
એવું બનાવવું છે, કે એ સાનુબંધ હોય. અંતરમાં જિન-પૂજાનો ભાવ જાગ્યો, એ દર્શન મોહનીયનો ક્ષયોપશમ થયો. એથી એક પૂજન કર્યું. એમાંથી વળી ક્ષયોપશય વધ્યો, એનાથી આગળ પૂજન કર્યું. એટલે ક્ષયોપશમ ઓર વધ્યો, એનાથી આગળ પૂજન કર્યું. એટલે ક્ષયોપશમ ઓર વધ્યો.. એક ઉત્તરોત્તર ક્ષયોપશમ વધે એ સાનુબંધ ક્ષયોપશમ કહેવાય. એનાથી પૂજામાં ભંગ ન પડે, પૂજામાં પૂર્ણવિરામ ન આવે, પણ પૂજા અખંડ ચાલે, માટે “પૂજા અખંડિત એ કહ્યું.
0 1 સ્તવનની પંક્તિ છે. “કપટરહિત થઇ આતમ અરપણા આનંદઘન
પદરેહ આપણો આત્મા તો પ્રભુના આત્માથી જુદો જ રહે છે. તો એમાં પ્રભુમાં આપણા આત્માનું સમર્પણ શું આવ્યું? અહીં આત્મ-સમર્પણ કરવાનું એટલે કે સ્વકીય આત્માનું વિસર્જન કરવાનું છે. અર્થાત્ વીતરાગને વધુ ને વધુ વળગતા જઇએ તેમ તેમ આપણો આત્મા વધુ ને વધુ ભૂલાતો જાય. આત્મા ભુલાતો જાય એટલે શું?
આપણો આત્મા ભુલાતો જાય એટલે પ્રભુધ્યાનમાં આપણા દૈહિક ધર્મો ભૂખ-તરસથાક, માન-અપમાન, શાતા-અશાતા, ત્રાસ-તકલીફ વગેરે બધું જ ભુલાઇ જાય. એટલું જ નહિ, પણ આપણી રૂચિ-અરૂચિ, ઇષ્ટઅનિષ્ટ, અનુકૂળ-પ્રતિકૂળ, કશાનો વિચાર નહિ. આપણી માલમિલ્કત, સ્નેહી સંબંધી શત્રુ-મિત્ર, ઇત્યાદિ બધું વિસરાઇ જાય. અરે! આપણું વ્યક્તિત્વ પણ વધુ ને વધુ ભૂલાતું જાય. આમ તો આપણે પ્રભુની પ્રીત તો કરીએ છીએ, પરંતુ જો તપાસીશું તો દેખાશે કે પ્રભુ સાથે પ્રીત કરવા છતાં આપણું વ્યક્તિત્વ
૫ ૯૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org