________________
એટલી બધી બનાવીએ કે આપણે વીતરાગમાં ગુમ થઇ જઇએ.
દા.ત. ભમરી માટીના ઘરમાં ઇયળને પૂરી એની આસપાસ ગુંજારવ કરતી એવી ઘુમરી લે છે, કે ઇયળ એ ગુંજારવમાં ગુમ થઇ જાય છે, અને પરિણામે ભમરી બની જાય છે. એ ન્યાયથી આપણે વીતરાગમાં ગુમ થઇએ, તે ત્યાં સુધી કે વીતરાગ પોતાનાથી જુદા છે એવો ખ્યાલ જ નીકળી જાય અને જાણે પોતે જ વીતરાગ છે એવો એ ખ્યાલ આવી જાય તો એ રીતે વીતરાગને આપણા આત્મામાં ઉતારવાના છે. આ રીતે પરમાત્મરમણતામાંથી સ્વાભરમણતામાં જવાય છે.
O. 1 “વીતરાગ ભગવાન લલા કરે નહિ કારણ કે પ્રભુને રાગ-દ્વેષ [૭રી નથી,' એમ તમે કહો છો. તો પછી મહાવીર ભગવાને પતન
પામેલા બે ય આત્મા મેવકુમાર અને જમાલી, એમાંથી મેઘકુમારનું બાવડું પકડ્યું અને એને ઊંચક્યો, પણ જમાલી તરફ દુર્લક્ષ્ય કર્યુંઆમાં શું એક પર રાગ અને બીજા પર અરૂચિ નથી? એ શું લીલાની ચેષ્ટા નથી?
ના. નિશાળનો શિક્ષક કુંભારના છોકરાને ભણાવવા લે, અને એના
ગધેડાને ન લે, એમાં કાંઇ શિક્ષકને છોકરા ઉપર રાગ અને ગધેડા -1 પર દ્વેષ નથી. તો કેમ ભેદ પાડે છે ? કહો, એટલા જ માટે, કે
ભણવા માટેની છોકરામાં યોગ્યતા દેખે છે, અને ગધેડામાં યોગ્યતા દેખતો નથી, માટે શિક્ષકની બન્ને પ્રત્યેની પ્રવૃત્તિમાં ફરક પડે છે એમ જ કહેવાય. એવી રીતે પ્રસ્તુતમાં જમાલિમાં બચવા અને તરવા માટેની યોગ્યતા ન્હોતી તેથી એને ભગવાને કાંઇ કહ્યું નહીં. જ્યારે મેઘકુમારમાં એ યોગ્યતા હતી માટે કહ્યું. એથી બન્ને પ્રત્યેની પ્રવૃત્તિમાં ફરક પડ્યો. કુશળ શિલ્પી યોગ્ય પાષાણને ઘડવા લે અને પ્રતિમા બનાવે, કિન્તુ માટીના ઢેફા જેવા ઉપર પોતાનું શિલ્પ ન ચલાવે એથી કાંઇ કારીગર પાષાણને માટી પ્રત્યે રાગ-દ્વેષ નથી. એવું અરિહંત પરમાત્માના અચિંત્ય પ્રભાવ અંગે સમજવાનું છે. એને જ અજ્ઞાન માણસો લીલા તરીકે ઓળખી, “એ લીલા અગમ અગોચર અકળ છે, આપણી ધારણા બહાર વાંછિતને પૂરનાર છે,’ એમ કહે તો એ ખોટું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org