________________
कुलालचक्रे दोलायामिषौ चाऽपि यथेष्यते । पूर्वप्रयोगात् कर्मेह, तथा सिद्धिगतिः स्मृता ॥१०॥ मृल्लेपसङ्गनिर्मोक्षाद्यथा दृष्टाऽप्स्वलाबुनः । कर्मसङ्गविनिर्मोक्षात्, तथा सिद्धिगतिः स्मृता ॥११॥ एरण्ड-यन्त्र-पेडासु, बन्धच्छेदाद्यथा गतिः। कर्मबन्धन-विच्छेदात्, सिद्धस्याऽपि तथेष्यते ॥१२॥ | (વર્તમાનમાં પ્રેરણા-પ્રયોગ ન હોવા છતાં) પૂર્વ પ્રયોગથી કુંભારના ચાકડામાં, હીંડોળામાં અને બાણમાં (ભ્રમણ-ગમનાદિ) ક્રિયા થાય છે તેમ અહીં સિદ્ધજીવોની ગતિ જણાવી છે. (૧૦)
જેમ માટીના લેપવાળા તુંબડાનો પાણીમાં માટીનો સંબંધ છુટી જવાથી તેની ઉર્ધ્વગતિ દેખાય છે. તેમ આત્મા સાથે કર્મનો સંગ સર્વથા છૂટી જવાથી સિદ્ધાત્માની (ઉર્ધ્વગતિ કહેલી છે. (૧૧)
એરંડાના ગુચ્છાના બંધન કપાવાથી જેમ એરંડ બીજની ગતિ થાય છે તેમ કર્મબન્ધન તૂટી જવાથી સિદ્ધાત્માની ગતિ ઇચ્છાય છે. (૧૨) પરિશિષ્ટ* ૧૩૩
તસ્વાર્થ-ઉષા
Jain Education International Private & Personal use onlyww.jainelibrary.org