________________
પ્રશસ્તિમાંજ (i) વાચક (પૂર્વવેત્તા) બનવા માટે માત્ર અગીઆર અંગના જ્ઞાતા એવા સ્વગુરૂને બદલે વાચકપૂર્વધર એવા ક્ષમણ મૂલાચાર્યની પાસે કરવા પડેલા અધ્યયનનો નિર્દેશ અને (ii) દીક્ષાગુરૂને “વાચક' વિશેષણ ન આપતાં વિદ્યાગુરૂને આપેલું વાચક વિશેષણ-આ બે મુદ્દા એમને “વાચક વંશના નહિ, પણ “વાચક' એટલે પૂર્વવેત્તા તરીકે સાબીત કરે છે.
આ શાસ્ત્રના સૂત્રોનો અહીં સૂચક સમજુતી-અર્થ કરવામાં આવ્યો છે. એમાં સ્થળે સ્થળે મૂકેલા અમુક અમુક પદો એ ગર્ભિત રહેલા વિશેષાર્થના સૂચક છે. અભ્યાસીએ એના પર ખાસ ખ્યાલ રાખવાનો છે. સાક્ષાત્ શબ્દો ન છતાં, એનો ભાવ અમુક શબ્દોમાં સમાયો છે. એથી થોડા શબ્દોથી પણ ગ્રંથના વધુ ભાવનું મનન કરી શકાશે. જેમકે, અધ્યાય-૧ સૂત્ર૧લામાં “ત્રણજ માં “જ,” અને “ભેગાં મળીને સૂચવે છે કે ચોથું મોક્ષ સાધન કોઈ છે નહિ, અને ત્રણ પણ છૂટા રહીને મોક્ષસાધક નથી. પ્રાર્થનાના 11 કલાક તત્વાર્થ-ઉષા