________________
મહાવ્યાકરણની છટાથી રચાયેલા અને બહુ સહેલાઈથી કંઠે કરી શકાય એવા ટૂંકા રોચક સૂત્રોના સમૂહમય આ ગ્રંથને ગ્રંથકાર પોતેજ “તત્ત્વાર્થી-ધિગમ' નામના શાસ્ત્ર તરીકે નિર્દેશ છે. પ્રૌઢતાર્કિક પ્રખર દર્શનવિવેચક મહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજ આને “તત્ત્વાર્થમહાશાસ્ત્ર કહી શ્રેષ્ઠ અનુયોગદ્રવ્યાનુયોગ-ને પ્રબળ સાધન ગણે છે.
શ્રી તત્ત્વાર્થ શાસ્ત્રના રચયિતા પાંચસો પ્રકરણકાર વાચકવર્થ્ય (પૂર્વધર) પરમર્ષિ ભગવાન શ્રી ઉમાસ્વાતિજી મહારાજ છે. ઉચ્ચ નાગરી શાખાને વિભૂષિત કરનાર આ મહાપુરુષનો ચોક્કસ સત્તાકાલ જાણી શકતો નથી; છતાં એમની શ્રેષ્ઠ કૃતિઓ, અને એના ઉપર ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા ભગવાન્ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ જેવાઓએ કરેલી પ્રૌઢ વ્યાખ્યા દ્વારા એમનું અલૌકિક પાંડિત્ય અને પૂર્વોનું જ્ઞાતૃત્વ સૂચિત થાય છે. સ્વોપણ ભાષ્યના અંતેની પાકકથત momen 10 se mતત્વાર્થ-ઉષા