SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ જો ચક્રવર્તીની, દેવતાઓની ઋદ્ધિ કે અખંડ મોક્ષસુખને ઈચ્છતા હો તો ભગવાનની સમક્ષ નિર્મલ અખંડ અક્ષત સ્થાપો. પુષ્પમાલા ગ્રન્થ મલધારી શ્રી હેમચંદ્રસૂરિ મહારાજનો સટીક બનાવેલો છે. તેમાં જીવો ધર્મમાં સ્થિર થાય તે હેતુથી ધર્મસ્થિરતા દ્વારમાં કહ્યું છે કે (શ્લોક ૪૭૫) ષિ યદ્દિ વિષયતૃવ્યાીનિ સુવાનિ वाञ्छसि तथापि धर्म्म एवोद्यमं कुर्वित्युपदिशन्नाहवरविसयसुहं सोहग्ग- संपयं पवररुवजसकीत्तिं । . जइ महसि जीव ! निच्चं, ता धम्मे आयरं कुणसु ।। . “હે જીવ ! જો તું ઉત્તમ વિષયસુખ, સૌભાગ્યસંપત્તિ, સુંદર રૂપ, યશ અને કીર્તિને ઈચ્છતો હોય તો ધર્મમાં જ આદર કર.” આ રીતે શાસ્ત્રકાર ભગવંત વિષયસુખાદિ માટે પણ ધર્મનો આદર કરવાનું સિદ્ધાન્તરૂપે સ્પષ્ટ ફરમાન કરે છે. ત્યારે અહીં પણ ‘મોક્ષનો આશય હોય તેને જ ધર્મ કરવાનું ફરમાવ્યું છે' એવો આડકતરી રીતે વિપરીત આશય યેન કેન પ્રકારેણ ઉદ્ભાવિત કરવો એ શાસ્ત્રકારના આશયની વિડંબના કરવા જેવું છે. વળી આ શ્લોકાર્થના પ્રકાશમાં ‘અજિત શાંતિ સ્તવ’માં ‘અહવા કિંત્તિ સુવિત્યતં ભુવર્ણ' એ છેલ્લી ગાથાનો આશય પણ સ્પષ્ટ થઈ જાય છે. ત્યાં પણ ‘મોક્ષના આશયથીજ કીર્તિ માટે ધર્મમાં આદર કરે' એવો આશય ફલિતકરવા જવું તે ઝાંઝવાના નીરથી તરસ મીટાવવાની આશા રાખવા જેવું છે. હજુ પણ આગળ જોઈએ- શ્રાદ્ધવિધિગ્રન્થમાં આચાર્ય પુંગવ બહુશ્રુત શ્રી રત્નશેખરસૂરિ મહારાજે શ્રાવકે શું શું કરવું જોઈએ તે વિધાનોના નિરૂપણમાં એક પ્રસંગે જણાવ્યું છે કે समुदितक्रयविक्रयादिप्रारम्भे चाऽविघ्नेनाभिमतलाभादिकार्यसिध्दद्यर्थं पञ्चपरमेष्ठिस्मरण- श्रीगौतमादि -नामग्रहण- कियत्तद्वस्तु श्रीदेवगुर्वाद्युपयोगित्वकरणादि कर्त्तव्यं धर्मप्राधान्येन सर्वत्र साफल्यभावात् । Jain Education International (૮૧) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004956
Book TitleIshtafal Siddhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay
PublisherMehul Jain Mitra Mandal Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy