SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ આજે જે એમ કહેવાય છે કે જે શ્રદ્ધા વગેરે શુભ ભાવ ન હોય તે જિનપૂજન, ગુરુવંદન, વ્યાખ્યાનશ્રવણ વગેરે શુભ ક્રિયાઓ શું કામ કરે ?” તે તદ્દન ગેરવ્યાજબી છે, તે આ ઉપરથી સ્પષ્ટ સમજી શકાશે. ચારિત્ર સુધીની કિયાએ પણ જ્યારે અન્ય ઈચ્છાઓથી ઉપર મુજબ કરનાર કરી શકે છે, તે પછી સાધારણ કિયાઓ માટે પૂછવું જ શું ? એક વાત. બીજું–જે કિયાઓને દંભ તરીકે ગણું બધા જ દેખાવ ખાતર ક્રિયાઓ કરે છે,” એમ માને છે તેઓનું માનવું પણ ગેરવ્યાજબી છે. કારણ કે સઘળા એ પ્રમાણે કરનારા નથી હોતા, પરંતુ અભવિ અને અભવિ. તુલ્ય બીજા જેઓ ભવાકાંક્ષી તથા ચારિત્રાદિક પામીને પણ સિદ્ધાંત માર્ગને આ મૂકી મનસ્વીપણે લૌકિક ઓઘમાર્ગનું સેવન કરનારા હોય છે, તેઓ એ પ્રમાણે શ્રદ્ધા વગેરે નહિ હોવા છતાં દેખાવ વગેરે ખાતર ક્રિયાઓ કરનારા હોય છે. ત્રીજુ “ભાવ વિના ક્રિયા કરવી નકામી છે, મેરુ સમ ઘા મુહપત્તિ થયા, મન મુંડાવ્યા વિના માથું મુંડાવ્યું શું કામનું' વગેરે બોલી જેઓ શુભકિયાઓને તથા સંયમના વિશિષ્ટ લિંગ અને આચારને વખોડે છે, તેઓ પણ ભયંકર ભૂલ કરે છે, કારણ કે દ્રવ્યકિયાઓ પણ ભાવનું કારણ છે. ઘણું તે રીતે પામેલા પણ છે. તથા દ્રવ્ય ચરિત્ર તે અભવિ જેવાને પણ નવમા સૈવેયક સુધી લઈ જાય છે. શુભ ભાવ લાવવા માટે યત્ન કરવા જોઈએ, પરંતુ તે વિના આ કિયા એને વડવામાં તો તેના ઉપરોક્ત અચિત્વમહિમા પ્રત્યે કેવલ અખાડા જ કરવામાં આવે છે, કે જે વિદ્વાને માટે લેશ પણ પસંદ કરવા ચોગ્ય ગણી શકાશે નહિ. આ ઉપરાંત ચોથી વસ્તુ એમાંથી સમજવાની છે તે એ કે અભવિ સંયમ લઈને જે એટલું પણ દ્રવ્ય-શ્રત પામે છે. તથા પિતાના (૪૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004956
Book TitleIshtafal Siddhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay
PublisherMehul Jain Mitra Mandal Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy