SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ “પ્રહ ઊઠી ગોયમ સમરીજે, કાજ સમગ્ગહ તતખિણ સીઝે નવનિધિ વિલસે તાસ ઘરે.... અર્થ :- શા માટે પારકે ઘેર જઈ વસો છો ? શા માટે દેશ-દેશાંતર ભમો છો ? શા માટે બીજી મહેનત કરો છો ? સવારે ઊઠીને ગૌતમસ્વામી ભગવાનનું નામસ્મરણ કરો, તમારા સઘળા કાર્ય તત્ક્ષણ સિદ્ધ થશે, અને (પ્રભાતે જે ગૌતમસ્વામીને યાદ કરે) તેમને ઘેર નવનિધિ છલકાશે. શ્રાવકોને કમાવા આદિ માટે દેશ-દેશાન્તર ભમવાને બદલે શ્રી ગૌતમસ્વામી ભગવાનનું નામસ્મરણ કરવાની સલાહ આપનાર રાસકારે શું લોકોને દુઃખી કરવા ને ભવમાં ભટકતા કરવા આવી સલાહ આપી હશે ? એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે પાપાનુબંધી પુણ્યબંધ નુકસાનકારક હોવાનું તો વજસ્વામી ભગવંત વગેરે ઘણાં શાસ્ત્રકાર ઉપદેશકોએ ફરમાવ્યું છે, પણ પાપાનુબંધી પુણ્ય કઈ રીતે જીવો બાંધે એ વિષયની સ્પષ્ટતા ખૂબ જ ઓછા શાસ્ત્રકારોએ કરેલી ઉપલબ્ધ થાય છે, અને એ કોઈ પણ શાસ્ત્રકાર આ લોકના કોઈ ફળની ઈચ્છાવાળા જીવના ધર્માનુષ્ઠાનને પાપાનુબંધી કહેતા નથી; પણ નિયાણું કરનાર અને અજ્ઞાનકષ્ટ કરનાર બ્રહ્મદત્ત કોણિકાદિ જીવોના જ ઉદાહરણો આપે છે. આ સ્થિતિમાં સંસારમાં બધે દેવાધિદેવ અને ધર્મને મુખ્ય કરી ચાલવાના હિસાબે સાંસારિક ફળની ઈચ્છાએ જીવથી કરાતા ધર્માનુષ્ઠાનને ઝાઝો વિચાર કર્યા વિના કે બીજા સુવિહિત ગીતાર્થ બહુશ્રુતો સાથે ચર્ચા-વિચારણા કર્યા વિના આંખ મીંચીને પાપાનુબંધી પુણ્યબંધનું લેબલ લગાડી દેનારા મોટું દુઃસાહસ ખેડી રહ્યા છે. Jain Education International (૧૫૮) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004956
Book TitleIshtafal Siddhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay
PublisherMehul Jain Mitra Mandal Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy