________________
હઠથી ધર્મ કરનારને લાભ થાય છે' એ બાબતમાં બાહુબલીનું દષ્ટાન્ત આપીને ઉપદેશ-તરંગિણીકારે ‘ઘમ્મો મળ હુંતો.....' ઈત્યાદિ ઉપદેશમાલાના શ્લોકની સાક્ષી આપી. એ વાંચીને એના અર્થની સંગતિ ક૨વાનું જે લોકોને ન આવડ્યું તે લોકોએ એના ઉ૫૨ ઘણા ઘણા તર્ક- વિતર્ક ચલાવ્યા;પણ કાંઈ હાથ ન લાગ્યું. ત્યાગી-વૈરાગી- તપસ્વી સદ્ગુરુના ચરણની ઉપાસના કરનારને આવી કોઈ મુંઝવણ થતી નથી, ને કેવો સુંદર ઉકેલ મળી જાય છે તે જુઓ,
ઉપદેશમાળાકારનું તાત્પર્ય આ છે કે ધર્મ યાને ચારિત્ર ધર્મ જો મદથી થતો હોય તો બાહુબલજીએ યુદ્ધભૂમિ પર ચારિત્ર લઈને આટલા બધા કષ્ટ વધાવી લેવાનું ન કર્યું હોત, કિન્તુ ચારિત્ર લઈને એમણે કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી આરામથી પોતાના દેશમાં વિચરવાનું રાખ્યું હોત. પરંતુ એમણે એમ ન કરતાં ૧૨-૧૨ મહિના સુધી ચોવિહાર ઉપવાસ સાથે ખડા ખડા કાયોત્સર્ગ ધ્યાને રહેવાના અને બધી ઋતુની કડકાઈમાંથી પસાર થવાનાં કષ્ટ સહન કરવાનું રાખ્યું, એવું કષ્ટો ઉપાડવાનું શા માટે રાખ્યું ? તો કે પોતે સમજે છે કે “કેવળ જ્ઞાન જોઈએ છે તો એ માટે સમસ્ત ઘાતી કર્મોનો નાશ કરવો પડે. એ જંગી કર્મનાશ કષ્ટમય ચારિત્ર-ધર્મની આરાધનાથી જ થાય. ઋષભદેવ ભગવાને ૧૦૦૦ વર્ષ બહુધાકાયોત્સર્ગ, એકલપંડે વિહાર... વગેરે કષ્ટમય ચારિત્ર આરાધનાથી જ ઘાતી-કર્મક્ષય કરી કેવલજ્ઞાન ઉપાર્જેલ. માટે મારે આ કષ્ટ ઉપાડવા જોઈએ.'’
પ્ર - તો પછી બાહુબલજીને અભિમાન તો આવ્યું જ હતું, અને દીક્ષા લઈ પ્રભુ પાસે ન જતાં કાઉસ્સગ્ગ ધ્યાને ઊભા તો રહ્યા જ હતા;તો એ ધર્મ - કષ્ટ શું મદથી ઉપાડ્યા ન કહેવાય ?
ન
૩૦- અહીં વિવેક કરવાની જરૂર છે. આભિમાનથી તો દીક્ષા લઈ તરત પ્રભુને ભેગા ન થતાં કેવળજ્ઞાનની રાહ જોતાં ત્યાં જ રોકાઈ જવાનું કર્યું એટલું જ; જો પ્રભુને ભેગા થઈ જાય તો કેવલજ્ઞાની નાનાભાઈ સાધુઓ પ્રભુની સાથે હોવાથી એમને વંદન કરવું પડે. પરંતુ આ વાત ટાળવાનું તો પ્રભુથી છેટા રહી ચારિત્રમાં વિહરવાથી થઈ શકતે. એમાં ઉગ્ર કષ્ટો સહવાનું
(૧૨૦)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org