________________
અર્થ - કોઈપણ માર્ગાનુસારી અનુષ્ઠાન સકામનિર્જરાનું બીજ છે. કારણ કે અવિરતસમ્યગ્દષ્ટિમાં પણ તે હોય છે. નહિ કે તપમાત્ર જ, તેથી કાંઈ અયુક્તતા નથી. એટલે જ પ્રગટ મોક્ષાભિલાષ હોવા છતાં પણ પ્રબળ અસગ્રહવાળા મિથ્યાષ્ટિઓને, પ્રબળ અસદ્ગહ વગરના આદિધાર્મિકોને હોય છે એવી સકામનિર્જરા પરિણામે હોતી નથી. કારણકે તેમનું માર્ગાનુસારી અનુષ્ઠાન હોતું નથી. મોક્ષાભિલાષ ન હોવા છતાં સ્વાભાવિક અનુકમ્પા વગેરે ગુણોવાળા મેઘકુમારના પૂર્વભવના જીવ હાથી વગેરેને પરિણામે સકામનિર્જરા અબાધિત હોય છે. આ ઊંડાણથી વિચારવું.
યોગબિન્દુ શ્લો. ૧૪૦ नास्ति येषामयं तत्र तेऽपि धन्या: प्रकीर्तिताः । भवबीजपरित्यागात् तथा कल्याणभागिनः ॥१४०।।
અર્થ:- જેઓને મુક્તિના વિશે દ્વેષ નથી તેઓને પણ ધન્ય કહ્યા છે અને ભવબીજનો પરિત્યાગ કર્યો હોવાથી કલ્યાણભાગી કહ્યા છે.
આખ્યાનકમણિકોશ - વૃત્તિકાર આપ્રદેવસૂરિમહારાજ પૃ. ૩૧૩ માં નેમનાથ ભગવાન દેશનામાં કહે છે
धम्मो अत्थो कामो मोक्खो चत्तारि हुंति पुरिसत्था । धम्माओ जेण सेसा ता धम्मो तेसि परमतरो ||७९।।
અર્થ :- ધર્મ-અર્થ-કામ-મોક્ષ આ ચાર પુરુષાર્થ છે. ધર્મથી જ બાકીના બધા મળે છે માટે ધર્મ એ બધામાં શ્રેષ્ઠ છે.
આ ઉપરાંત ઉપમિતિ -ઉત્તરાધ્યયનટીકા વગેરે અનેક શાસ્ત્રોમાં ધર્મ જ પ્રધાન પુરુષાર્થ હોવાનું જણાવાયું છે.
ધર્મરત્નપ્રકરણ શ્લો. ૭૩ સ્વોપજ્ઞ ટીકા (ભાવશ્રાવકનાં લક્ષણો) उवसमसारवियारो वाहिज्जइ नेय रागदोसेहिं । मज्झत्यो हियकामी असग्गहं सबहा चयइ ।।७३।।
(૧૧૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org