________________
૧૧૯. યોગદ્રષ્ટિ સમુચ્ચય ભાગ-૨ પ્રાક્કેથનમાંથી ઉદ્ધૃત અંશો.
તાર્કિક શિરોમણિ પૂ.શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ પોતે પણ અનેકાન્તવાદ-ગર્ભિત શ્રી જિનશાસનને પામ્યા બાદ એકાન્તવાદની કુવાસનામાંથી મુક્તિનો અનુભવ કરતા હતા. તેઓશ્રીએ રચેલો આ યોગષ્ટિસમુચ્ચય ગ્રન્થ પણ એકાન્તવાદની વાસનાથી મુક્ત કરીને યોગસાધનામાં અત્યન્ત ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડી રહ્યો છે.
અનેક શાસ્ત્રકાર ભગવંતો કહી ગયા છે કે ચાર પુરુષાર્થમાં અર્થ-કામ બે પુરુષાર્થો હેય છે, અને મોક્ષ પુરુષાર્થ એ ચરમ લક્ષ્ય છે. પણ એ ત્રણેની પ્રાપ્તિ કરાવનાર કોઈ પુરુષાર્થ હોય તો તે એક માત્ર ધર્મપુરુષાર્થ છે. તેથી, ભૌતિકઆધ્યાત્મિક તમામ સુખોના હેતુભૂત એવા એક માત્ર ધર્મની જ સાધનાઉપાસના મનુષ્યજીવનનું નવનીત છે. ધર્મ જિનભક્તિ-સામાયિક-પ્રતિક્રમણાદિ અનેક ધાર્મિક અનુષ્ઠાનોમાં વસેલો છે. માટે જેમ બને તેમ પાપપ્રવૃત્તિઓ છોડીને જીવનમાં જિનોક્ત-સામાયિકાદિ સદનુષ્ઠાનો દિન-પ્રતિદિન વધારતા જવું જોઈએ, આત્મસાત્ કરતા જવું જોઈએ, અને એ માટે જરૂરી સભ્યજ્ઞાનનું પણ સમ્પાદન કરતા રહેવું જોઈએ. એ જૈનશાસનના ઉપદેશોનો સાર છે. પૂ. ઉપા. યશોવિજયજી મ.સા.જ્ઞાનસારમાં કહે છે કે એક પણ નિર્વાણપદ યાને મુક્તિસાધક સામાયિકાદિ-વચનનું વારંવાર જેનાથી ભાવન-નિદિધ્યાસન થાય એટલું જ્ઞાન પણ ઘણું છે, વધારે જ્ઞાનનો કોઈ આગ્રહ નથી.
પ્રાયઃ એવું બને છે કે મોટા ભાગના જીવો બીજાઓને જોઈને કે કુલાચારથી કે ગતાનુગતિકતાથી શરૂઆતમાં ઉચિત ઉપયોગ-શૂન્ય રીતે, કે ટાઈમ પાસ કરવા માટે, અથવા કાંઇક આશંસાથી પણ પચ્ચક્ખાણ વગેરે કરતા હોય છે. પરંતુ એવા ભવ્ય-યોગ્ય જીવોને જરાયે બુદ્ધિભેદ ન થાય એ રીતે ઉપદેશ કરનારા મહાપુરુષોનો ભેટો થઈ જાય ત્યારે એમની ઉપયોગશૂન્યતાઆશંસા વગેરે દોષો ટળી જાય છે. આ સંદર્ભમાં આ પ્રાક્કથન પૂર્ણ થયા પછી આપેલ ‘નાણપંચમી કહાઓ'નો પાઠ અવશ્ય મનનીય છે.
Jain Education International
(૧૦૮)
For Private & Personal Use Only
www.jainelibrary.org