SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ આયુષ્ય, કાયસ્થિતિ, કર્મસ્થિતિ, કાળચક્ર વગેરે માપવામાં આવે છે. ૧૦ કોકો, સૂઅદ્ધાપલ્યોપમ = ૧ સૂર અદ્ધાસાગરોપમ ૧૦કો.કો. અદ્ધા સાગરો, = ૧ અવસર્પિણી = ૧ ઉત્સર્પિણી ૨૦ કોકો, સૂ, અદ્ધા સાગરો, = ૧ કાળચક્ર અનંત કાળચક્ર = ૧ પુદ્ગલ પરાવર્ત અનંત પુપરા. = અતીતકાળ= અનાગતકાળ. અતીતનો આદિ નથી, આનાગતનો અંત નથી, માટે બન્ને તુલ્ય કહેવાય છે. અન્ય મતે અતીત કાળ કરતાં અનંતકાળ અનંતગુણ છે, કારણકે ગમે એટલો કાલ વીતવા છતાં અનાગતકાળ ક્ષીણ થતો નથી. શાસ્ત્રોમાં ક્યાંય પણ કાળને દર્શાવવા પલ્યોપમ કે સાગરોપમનો ઉલ્લેખ કર્યો હોય અને વિશેષ કશો ઉલ્લેખ કર્યો ન હોય ત્યાં સૂ, અદ્ધાપલ્યોપમ અને સૂઅબ્બાસાગરોપમ જ સમજવા. જેમ સૂર અદ્ધાપલ્યોપમ ૧૦ કોકો, જેટલા થાય ત્યારે ૧ સૂ, અદ્ધાસાગરો થાય છે, એ જ રીતે અન્ય પણ બધા પલ્યોપમ - સાગરોપમ માટે જાણવું. અર્થાત્ ૧૦ કોકો, બા, ઉદ્ધાર પલ્યો, = ૧ બાદર ઉદ્ધાર સાગરો, વગેરે. ૩) ક્ષેત્રપલ્યોપમ : પલ્યમાં વાલાઝથી સ્પષ્ટ આકાશપ્રદેશોને સમયે સમયે કાઢવામાં જેટલો કાળ લાગે તે બાદરક્ષેત્રપલ્યોપમ. એ અસં, કાળચક જેટલો હોય છે. એક એક વાલાગ્રના અસંખ્ય ટૂકડા દ્વારા સ્પષ્ટ અને અસ્પષ્ટ આકાશપ્રદેશોને પ્રતિસમય એક-એક કાઢવામાં જે કાળ લાગે તે સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ. તે પણ અસ, કાળચક્ર જેટલો છે, પણ બા ક્ષેત્રપલ્યો કરતાં અસંગુણ મોટો છે. આનાથી દષ્ટિવાદમાં દ્રવ્યપ્રમાણનું પ્રરૂપણ કરવામાં આવ્યું શંકા -વાલાગ્રના અસંખ્ય- અસંખ્ય ખંડો કરીને એનાથી પલ્યને ઠાંસી ઠાંસીને ભર્યો છે, તો બધા જ આકાશપ્રદેશો એનાથી સ્પષ્ટ જ થઈ જાય, અસ્પષ્ટ આકાશપ્રદેશો મળી જ શી રીતે શકે? સમાધાન -જેમ મોસંબીથી ભરેલા ભાજનમાં લીંબુ સમાઈ શકે છે અને લીંબુથી ગાથા: ૦૫ - શતક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004954
Book TitleShatak
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh Mumbai
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy