SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ એ અંતર કહેવાય છે. એ પણ સર્વજીવથી અનંતગુણ જેટલું હોય છે. એકોત્તરવૃદ્ધિવાળી વર્ગણાઓનો સમુદાય એ સ્પર્ધક કહેવાય છે. આ પહેલું સ્પર્ધક છે.. પછી અંતર. પછી પ્રથમ સ્પર્ધકની જેમ જ બીજું સ્પર્ધક.. પછી અંતર. પછી ત્રીજું સ્પર્ધક. આવા અભવ્યથી અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગ જેટલા સ્પર્ધકો મળીને એક રસસ્થાન થાય છે. અસંખ્ય રસસ્થાનોનું એક સ્થાન હોય છે. કુલ અસંખ્યાત લોક જેટલા ષસ્થાનો ૮૨ અશુભપ્રકૃતિઓનો સંક્લેશથી તીવ્રરસ બંધાય છે, વિશુદ્ધિથી મંદરસ. ૪૨ શુભપ્રકૃતિઓનો વિશુદ્ધિથી તીવ્રરસ બંધાય છે, સંક્લેશથી મંદરસ. કષાયોની તીવ્રતા એ સંક્લેશ કહેવાય છે અને મંદતા એ વિશુદ્ધિ. | ઉપમા | કષાય? | અશુભનો રસબંધ | શુભનો રસબંધ ગિરિરેખા | અનંતા. ૪ ઠા. ૨ ઠા પૃથ્વીરેખા | અપ્રત્યા. ૩ ઠા. ૩ ઠા. રજરેખા | પ્રત્યા | ૨ ઠા. | ૪ ઠા. | જળરેખા | સંજ્વલન | ૧૭નો ૧ઠા. શેષ રઠા | ૪ ઠા. જેમ જેમ કષાયોનું જોર ઘટે છે (અથાત્ વિશુદ્ધિ વધે છે, તેમ તેમ અશુભનો રસ ઘટે છે. જીવ શ્રેણિમાં, ૯માં ગુણઠાણાના સંખ્યાતા બહુભાગ જેટલો કાળ વીતાવી જાય, ને એક સંખ્યામા ભાગ જેટલો કાળ બાકી હોય ત્યારે એવી વિશુદ્ધિને પામે છે કે જેથી અશુભનો ૧ ઠા. રસ જ બંધાય. એ વખતે જ્ઞાનાવરણાદિ ૧૪, ૪ સંજ્વ, પુવેદ, શાતા, યશ અને ઉચ્ચગોત્ર આમ ૨૨ પ્રકૃતિઓ બંધાતી હોય છે. આમાંથી છેલ્લી ત્રણ તો શુભ હોવાથી એનો ૪ ઠા, તીવ્રરસ બંધાય છે. કેવલજ્ઞાન અને કેવલદર્શના અશુભ હોવા છતાં સર્વઘાતી હોવાથી એ બેનો બેઠા રસ બંધાય છે. બાકીની ૧૭નો 1 ઠા. રસ બંધાય છે. આ અવસ્થા સિવાય તો આ ૧૭ નો પણ ૨,૩ કે ૪ ઠા. રસ શતક - ગાથા: 63,68 પ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004954
Book TitleShatak
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh Mumbai
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy