________________
પૂંછડું જેમ આગળ આગળ નાનું થતું જાય છે એમ આ નિષેકોની સ્થાપના કરવામાં આવે તો દલિકો ઘટતા જતા હોવાથી ગાયના પૂંછડા (ગોપુચ્છ) જેવો આકાર થાય છે. માટે કર્મનિષકોની આવી રચનાને પણ ગોપુચ્છ કહેવાય
આયુષ્યમાં વર્તમાનભવનું જેટલું આયુ બાકી હોય એટલી અબાધા હોય છે. અને ભવાંતરનું અંતર્મુહૂર્તથી લઈને ૩૩ સાગરોપમ સુધીનું જેટલું આયુષ્ય હોય એટલો સ્થિતિબંધ કહેવાય છે. એટલેકે ઉલ્લેખાતા સ્થિતિબંધમાં અબાધા સમાવિષ્ટ હોતી નથી.
સ્થિતિબંધ કષાયોદયના કારણે થાય છે. એટલે સાત કર્મોની કોઈપણ શુભ કે અશુભ પ્રકૃતિનો સ્થિતિબંધ જેમ કષાય વધે તેમ વધે છે, ને જેમ કષાયોદય ઘટે તેમ ઘટે છે. માટે સ્થિતિ બધાની અશુભ કહેવાય છે. રસ માટે વિપરીત છે. શુભપ્રકૃતિનો રસ શુભ છે, માટે કષાયો ઘટે ને વિશુદ્ધિ વધે એમ એ તીવ્ર બંધાય છે. અશુભ પ્રકૃતિઓનો રસ અશુભ છે, તેથી કષાયો - સંક્લેશ વધવા સાથે સબંધ પણ વધે છે.
આયુષ્ય : નરકાયુનો સ્થિતિબંધ કષાયોદયરૂપ સંક્લેશની સાથે વધે છે ને એ ઘટવારૂપ વિશુદ્ધિ સાથે ઘટે છે. શેષ ૩ આયુ માટે ઉધું છે. વિશુદ્ધિ વધે તેમ સ્થિતિબંધ વધે છે. માટે એ ત્રણની સ્થિતિ શુભ કહેવાય છે. મૂળપ્રવૃતિઓમાં સ્થિતિબંધ :
ઉત્કૃષ્ટ : જ્ઞાના, દર્શના, વેદનીય અંતરાયઃ ૩૦ કોકો સાગરો, મોહનીય : ૭૦ કોકો, સાગરો. આયુ. : ૩૩ સાગરો નામ-ગોત્ર : ૨૦ કોકો, સાગરો.
ઉત્કૃષ્ટ સંક્લેશ કાળે તે તે મૂળપ્રકૃતિની (૭ની) જે ઉત્તરપ્રકૃતિ બંધાતી હોય એનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એ જ પ્રાયઃ કરીને તે તે મૂળપ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ હોય છે.
જઘન્ય : સ્થિતિબંધ કષાયોદયથી થાય છે. એટલે નિષ્કલાયબંધની વિવક્ષા કરવાની હોતી નથી. સકષાયબંધની અપેક્ષાએ જઘા સ્થિતિબંધઃ
ગાથા: ૨૬,૨૭– શાક
38.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org