________________
જેટલા કાળ માટે એક પણ દલિક બંધાતું નથી એ અબાધાકાળ કહેવાય છે. એ ૭ કર્મોમાં જઘન્યથી અંતમું પ્રમાણ હોય છે ને ઉત્કૃષ્ટથી ૭000 વર્ષ પ્રમાણ હોય છે. વિવક્ષિતબંધ વખતે જેટલી અબાધા હોય એની પછીના પ્રથમ સમયે ઉદયમાં આવી શકે એવો સ્વભાવ બધ્યમાન કેટલાક દલિકોમાં બંધસમયે જ પેદા થાય છે. આ દલિકોનો સમૂહ એ પ્રથમ નિષેક છે. એ પછીના સમયે ઉદયમાં આવી શકવાનો સ્વભાવ પણ કેટલાક દલિકોમાં પેદા થાય છે. આ દલિકોનો સમૂહ એ બીજો નિષેક છે. આમ નિરંતરપણે ઉત્તરોત્તર સમયે ઉદયમાં આવવાનો સ્વભાવ કેટલાક કેટલાક બધ્યમાન દલિકોમાં બંધસમયે જ પેદા થયો હોય છે, યાવત્ તે બધ્યમાન સમયે જેટલો સ્થિતિબંધ હોય તે સમય સુધી. (અસત્કલ્પનાથી બધ્યમાન સમય વર્તમાન સમય એ પહેલો સમય છે. ૧ થી ૧૦ સમયમાં ઉદયમાં આવી શકે એવો વધ્યમાન કોઈ દલિકમાં પરિણામ પેદા થયો નથી. કેટલાક દલિકોમાં ૧૧મા સમયે ઉદયમાં આવવાનો પરિણામ પેદા થયો છે. એમ કેટલાકમાં ૧૨મા સમયે, કેટલાકમાં ૧૩મા સમયે.. યાવત્ કેટલાકમાં ૧૦૦મા સમયે ઉદયમાં આવવાનો સ્વભાવ પેદા થયો છે. વળી ૧૦૧ કે તેથી ઉપરનાં સમયે ઉદયમાં આવી શકે એવો સ્વભાવ કોઈ દલિકમાં નિર્માણ થયો નથી. ૧૧મા સમયે ઉદયમાં આવવાનો પરિણામ જે બધ્યમાન દલિકોમાં પેદા થયો છે તે બધાનો સમૂહ એ બધ્યમાન પ્રથમ નિષેક છે... એમ ૧૨ મા વગેરે તે તે સમયે ઉદયમાં આવવાના સ્વભાવવાળા બનેલા દલિકોનાં સમૂહ એ બધ્યમાન બીજે-ત્રીજો વગેરે નિષેક છે. આમાં ૧ થી ૧૦ સમય એ અબાધાકાળ કહેવાય છે. તથા ૧૧ થી ૧૦૦ સમય એ નિષેકકાળ કહેવાય છે. અને આ વિવક્ષિત બંધનો ૧૦૦ સમયની સ્થિતિબંધ એ રીતે ઉલ્લેખ થાય છે. અર્થાત્ જેટલો ઉત્કૃષ્ટ કાળપરિણામ પેદા થયો હોય એનો સ્થિતિબંધ તરીકે ઉલ્લેખ થાય છે, અને અબાધાકાળ પણ એમાં સમાવિષ્ટ હોય છે. (આયુષ્યમાં અબાધાકાળ એમાં સમાવિષ્ટ હોતો નથી એ જાણવું). ૧૧માં નિષેકમાં ગોઠવાયેલા દલિકો સહુથી વધારે હોય છે. ૧૨માં,૧૩માં વગેરે નિષેકોમાં ગોઠવાયેલા દલિકો ઉત્તરોત્તર વિશેષહીન હોય છે. ગાયનું શતક - ગાથા: ૨૬
33
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org