SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ છે. એમ ૫૪ના બંધકને ૫૫ કે ૫૬ નું, તથા ૫૫ના બંધકને ૫૬ નું બંધસ્થાન પણ ચાલુ થઈ શકે છે. પણ શ્રેણિથી પડતી વખતે નવા જિનનામનો કે આહા. ૨ ના બંધનો પ્રારંભ શક્ય જણાતો નથી. - ૮ માના બીજા ભાગથી નીચે ઉતરી પહેલા ભાગે આવે એટલે નિદ્રાદિક ઉમેરાવાથી પ૩, ૫૪, ૫૫, ૫૬ ના બંધકો ક્રમશઃ ૫૫, ૨૬, ૫૭, ૫૮ ના બંધસ્થાન પર આવે છે. ૨) ઉપશમશ્રેણિમાં આઠમાના પહેલા ભાગે પ૫ ના બંધકને આઠમાના બીજાભાગના પ્રથમ સમયે જિન+આહાર નવા બંધાવાના ચાલુ થાય, ને નિદ્રાદ્ધિકનો બંધ અટકે એટલે ૫૫ થી ૫૬ નો આ રીતે પણ ભૂયસ્કાર મળી શકે છે ૩) નામની ૯૨ ની સત્તાવાળો જીવ છઠે દેવાયુ સાથે ૫૬ બાંધે છે. આયુ બાંધતા બાંધતા સાતમે આવે એટલે આહાર પણ બંધાવાથી ૫૮ નો ભૂયસ્કાર મળે છે. એ જ રીતે ૯૩ ની સત્તાવાળો આયુ બાંધતા બાંધતા આવે તો ૫૭ થી ૫૯ નો ભૂયસ્કાર મળે છે. ૪) ત્રિચરમભવમાં જિન સાથે દેવપ્રાયોગ્ય ૨૯ બાંધનારા પ્રમત્તમુનિ પડીને પાંચમે આવે ત્યારે ૫૬ વ થી ૬૦ નો ભૂયસ્કાર મળે છે, ને ચોથે આવે તો ૬૪ નો ભૂય મળે છે. એમ જિનનામબધક પાંચમેથી ચોથે આવે તો ૬૦ = થી ૬૪ % નો ભૂય મળે. શ્રીતત્ત્વાર્થસૂત્રમાં જિનનામબંધના કારણોમાં નિરતિચારસંયમ વગેરે જણાવ્યા છે. વળી એક સહજ વિચાર પણ આવે કે આવું શ્રેષ્ઠ પુણ્ય ઉપાર્જનારા મહાત્મા પછીથી પણ પતન પામતા ન હોવા જોઈએ. જો એમ માનીએ તો ભૂયસ્કારના આ વિકલ્પો મળી શકે નહીં. પણ કર્મસાહિત્યમાં આવા પતનનો ક્યાંય નિષેધ જોવા મળ્યો નથી,અને પરિણામોની ઘણી વિચિત્રતા હોય છે, માટે ક્યારેક આવું પતન પણ સંભવી શકે છે. અને તેથી આ વિકલ્પો અહીં આપ્યા છે. ૫) ૧ થી ૧૩ એટલે ૧,૧૭,૧૮,૧૯,૨૦,૨૧,૨૨,૨૬ અને ૨૩. ગાથા: ૨૫ - શતક • • • • • • • • • • • • • • Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004954
Book TitleShatak
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh Mumbai
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy