________________
ઉત્તર ઃ- તથાસ્વભાવે જ જેમ જેમ રસ વધતો જાય તેમ તેમ દલિકો ઓછા થતા જાય છે. ઉત્તરોત્તર સ્પર્ધકોમાં દલિક વિશેષહીન - વિશેષહીન હોય છે. વળી જઘન્ય દેશઘાતી રસસ્પર્ધકથી લઈને ઉત્કૃષ્ટ દેશઘાતી રસસ્પર્ધક સુધી પહોંચતા પહોંચતા જ દલિકોના અનંત દ્વિગુણહાનિસ્થાનો આવી જાય છે. તેથી ત્યારબાદના સ્પર્ધકોને ( કે જે સર્વઘાતી છે તેને ) માત્ર અનંતમા ભાગનું જ દલિક મળે છે.
80) પ્રશ્ન :- દર્શનાવરણીયકર્મના ભાગે આવેલ સર્વઘાતી દલિકોનો ૯ મો ભાગ થીણદ્ધિને મળે છે એમ તમે પૂર્વની ટીપ્પણમાં કેમ જણાવો છો ? કારણકે દર્શનાવરણની સર્વઘાતી પ્રકૃતિઓ ૬ હોવાથી તેમજ ગ્રન્થમાં દર્શનાના ભાગે આવેલ સર્વઘાતી લિકના ૬ ભાગ પડે છે એમ જણાવેલ હોવાથી થીણદ્ધિના ભાગે લગભગ છઠ્ઠા ભાગનું દલિક આવે છે.
σε
ઉત્તર ઃ- દેશઘાતી પ્રકૃતિઓની વ્યાખ્યા એવી નથી કે જેના માત્ર દેશધાતી સ્પર્ધકો જ હોય તે દેશઘાતી . કિન્તુ એવી છે કે જેના દેશધાતી સ્પર્ધકો પણ હોય તે દેશઘાતી. એટલે દેશઘાતી પ્રકૃતિઓના પણ સર્વઘાતી સ્પર્ધકો હોય તો છે જ. (માત્ર સમ્યક્ત્વ મોહનીયના તે હોતા નથી, પણ એ બધ્યમાન પ્રકૃતિ ન હોવાથી કોઈ પક્ષ નથી.) એટલે જ ચક્ષુદર્શના વગેરે દેશઘાતી પ્રકૃતિઓના પણ ૪ ઠા સર્વઘાતી રસ નો બંધ વગેરે જણાવેલ છે.જો બંધકાળે એક પણ સર્વઘાતી દલિક ચક્ષુદર્શના વગેરેને મળતું ન હોય તો એનો સર્વઘાતી બંધ શી રીતે કહી શકાય ? અને બંધ ન થતો હોય તો સર્વઘાતી રસના સંક્રમ-સત્તા-ઉદય-ઉદીરણા વગેરે પણ શી રીતે સગંત ઠરે ? માટે નિશ્ચિત થાય છે કે બંધકાળે ચક્ષુદર્શના વગેરેને પણ સર્વઘાતી દલિકો મળે તો છે જ. તેમ છતાં, ગ્રન્થકારોએ, ‘દર્શના ને મળતા સર્વઘાતી દલિકના ૬ ભાગ થાય છે’ ઇત્યાદિ જે કહ્યું છે તેમાં એવી વિવક્ષા લાગે છે કે દેશધાતી પ્રકૃતિને દેશઘાતી દલિક જે મળે છે એનો માત્ર અનંતમો ભાગ જ સર્વઘાતી દલિક મળે છે, એટલે દેશધાતી દલિકોની ઘણી જ ઘણી પ્રચુરતા હોવાથી એના સર્વઘાતી દલિકને નગણ્ય માનવું.
પ્રશ્ન ઃ અપ્રત્યા માન કરતાં અપ્રત્યા ક્રોધને દલિક વિશેષાધિક મળે છે પ્રદેશ વહેંચણી
Jain Education International
For Private & Personal Use Only
૧૯૩
www.jainelibrary.org