________________
બંધાતી હોવા છતાં, પ્રકૃતિઅલ્પતા થવાના કારણે નિદ્રાને મળતાં દલિકનું આધિક્ય અનંતમો ભાગ જ હોય છે. આના કરતાં અસંખ્યાતમો ભાગ મોટો હોય એ સ્પષ્ટ છે. તેથી ષવિધબંધકાળે નિદ્રાને મળતાં દલિક કરતાં પણ નવવિધ બંધકાળે પ્રચલાપ્રચલાને મળતું દલિક અધિક હોવામાં કોઈ અસંગતિ નથી.
આ જ કારણ છે કે મોહનીયકર્મમાં પણ અપ્રત્યાખ્યાનાવરણ માન, ક્રોધ, માયા, લોભ પછી પ્રત્યાખ્યાનાવરણ માન. વગેરેના ક્રમે ઉત્તરોત્તર વિશેષાધિક દલિક કહેલ છે. અન્યથા અનંતાનુબંધીના બંધકાળે કષાય મોહનીયની ૧૬ પ્રકૃતિઓ બંધાય જ છે જ્યારે અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણના બંધકાળે અનુક્રમે માત્ર ૧૨ અને ૮પ્રકૃતિઓ પણ બંધાવી શક્ય છે. તેથી અનંતા. માન, ક્રોધ, માયા, લોભ, અપ્રત્યા માન, ક્રોધ, માયા, લોભ, પ્રત્યા માન, ક્રોધ, માયા, લોભ આ કમ દેખાડવો પડત પણ એ દેખાડયો નથી, કારણકે અનંતાનુબંધી ન બંધાતી હોય ત્યારે એના ભાગનું અનંતબહુભાગ દલિક તો દેશઘાતી થઈ૪ સંજ્વલનને જ મળવાથી અપ્રત્યા વગેરેને માત્ર અનંતમો ભાગ દલિક જ વધે છે જ્યારે અનંતાનુબંધીના બંધકાળે એનો અધિક રસ બંધાતો હોવાથી એને અપ્રત્યા, પ્રત્યા કરતાં પ્રકૃતિવિશેષતાના કારણે અસંખ્યાતમો ભાગ અધિક દલિક મળે છે. એટલે કષાયમોહનીય ની ૧૬ પ્રકૃતિઓ બંધાતી હોય ત્યારે અનંતાનુબંધીને જે દલિક મળે છે તે, ૧૨ પ્રકૃતિઓના બંધ વખતે અપ્રત્યાને મળતાં દલિકથી અને પ્રકૃતિઓના બંધકાળે પ્રત્યાયને મળતાંદલિકથી પણ અધિક હોવાથી અલ્પ બહુત્વનો આવો ક્રમ આપ્યો છે.
સંજવલન તો દેશઘાતી પ્રકૃતિઓ છે. અને એમાં દેશઘાતિત્વના કારણે અનંતગુણ દલિક મળતું હોય છે. એટલે સંજવલન ક્રોધાદિના બંધવિચ્છેદ બાદ એના ભાગનું દલિક અવશિષ્ટ માનાદિને લગભગ સરખા ભાગે મળતું હોવાથી સંજવલન ક્રોધ કરતાં સંજ્વલન માનને ઉત્કૃષ્ટપદે પ્રાપ્ત દલિક વિશેષાધિક હોય
પ્રશ્નઃ પ્રદેશવહેંચાણીમાં, સર્વધાતી ભાગે અનંતમા ભાગના જપુદ્ગલ જે આવે છે એનું કારણ શું? ૧૯૨
શતક ગ્રન્થ પર ટીપ્પણો
.
.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org