SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ એ અસં. અને ૧ લાખ એ અનંત છે તો, ૧૦ લાખ - ૧ લાખ = ૧૦ એ અનંતમો ભાગ થશે, ૧૦ લાખ + ૧૦૦૦૦ = ૧૦૦ એ અસંમો ભાગ થશે અને ૧૦ લાખ : ૧૦૦ = ૧૦ ૦૦૦ એ સંખ્યાતમો ભાગ થશે. તેથી ૯,૯૯,૯૯૦; ૯,૯૯,૯૦૦ અને ૯,૯૦,૦૦૦ આ રકમો ક્રમશઃ અનંતભાગ, અસં.ભાગ અને સંખ્યાતભાગ હાનિવાળી થશે. તેમજ ૧૦,૦૦,૦૧૦, ૧૦,૦૦,૧૦૦ અને ૧૦, ૧૦૦૦ આ રકમો ક્રમશઃ અનંતભાગ, અસં.ભાગ અને સંખ્યાતભાગ વૃદ્ધિવાળી થશે. ૧૦ લાખને અનુક્રમે ૧લાખ, ૧૦૦૦૦ અને ૧૦૦ વડે ભાગવાથી જે રકમો ૧૦;૧૦૦ અને ૧૦૦૦૦ આવે છે તે ક્રમશઃ અનંતગુણહીન, અસં ગુણહીન અને સંખ્યાત ગુણહીન રકમો થશે એમ ૧૦ લાખને ૧ લાખ ૧૦૦૦૦ અને ૧૦૦ વડે ગુણવાથી જે રકમો દશ હજાર કરોડ, એક હજાર કરોડ અને દશ કરોડ આવે છે તે ક્રમશઃ અનંતગુણવૃદ્ધ, અસં ગુણવૃદ્ધ અને સંખ્યાતગુણવૃદ્ધ રકમો થશે. 43) સતત અબંધકાળઃ અબંધકાળને વધારવા માટે વચ્ચે દેવલોકનો ૧ ભવ ૧ પલ્યોપમના આયુષ્યના બદલે ૩ ૫લ્યો. નો શા માટે ન લીધો ? સાધિક ૬૬ સાગરો બે જ વાર શા માટે ? ત્રીજી વાર કેમ નહીં.. ૧૬૩ સાગરો. આ રીતે પૂર્યા પછી ફરીથી યુગલિક વગેરેની પ્રક્રિયા કરી આ પ્રકૃતિઓ સતત ન જ બાંધે.. આવું શા માટે નહીં ? આવા બધા પ્રશ્નો ન કરવા.. આ બધામાં મુખ્ય કારણ લોક સ્વભાવ જાણવો. અર્થાત્ ૩ પલ્યો. આયુવાળા યુગલિકમાંથી ૩ પલ્યો. આયુવાળા દેવલોકમાં જો જાય તો આગળ જેવી પ્રક્રિયા અભિપ્રેત છે એવી એ કરી શકે નહીં. - એવો લોકસ્વભાવ છે. મનુષ્યભવમાં આવતી વખતે સમ્યક્ત્વ સહિત એટલા માટે આવે કે જો એ મિથ્યાત્વસહિત આવે તો અપર્યા અવસ્થામાં તિર્યંચપ્રાયોગ્ય ને પર્યા અવસ્થામાં નરકપ્રાયોગ્ય બાંધી દેવાથી આટલો કાળ મળી ન શકે. શ્રી તત્ત્વાર્થ સૂત્રમાં વિજયાદિષુ વિચરમા ઃ ॥ ૪ - ૨૭ ।। સૂત્રાનુસારે હાનિ-વૃદ્ધિના ષસ્થાનોની સમજણ ..... ... Jain Education International For Private & Personal Use Only ૧૬૧ www.jainelibrary.org
SR No.004954
Book TitleShatak
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh Mumbai
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy