________________
છતાં જો આની સત્તા, આયુષ્ય કરતાં વધુ રહી હોય તો છેવટે કેવલિસમુદ્યાત દ્વારા વધારાની સત્તાને જીવ હણી નાખે છે ને તેથી આયુષ્યની સાથે જ જિનનામ પણ ક્ષીણ થઈ જાય છે. (એક મતે તો ક્ષપકશ્રેણી પૂર્ણ થવા પર Pla જેટલી સત્તા બધા જીવોને એક સરખી હોય છે, ને પછી તેરમાના અંતભાગે પણ એ Pla જેટલી હોય જ છે, જે આયુષ્ય કરતાં વધારે હોવાથી બધા જ કેવલીએ કેવલિસમુદ્યાત કરવાનો જ હોય છે, ને એ દ્વારા જ નામગોત્ર-વેદનીયની સત્તા આયુષ્ય તુલ્ય થાય છે).
જો આવું ન હોત તો તો, જિનનામ જ શું, બધી જ બંધાતી પ્રવૃતિઓ માટે પ્રશ્ન આવે.. કારણકે દરેકની સ્થિતિબંધ અંતઃ કોકો છે દરેકનું એક અસંખ્યાતમા ભાગ જેટલું દલિક નિકાચિત થાય જ છે.
શંકા : જો આ રીતે બધાને એક અસંખ્યાતમાભાગનું દલિક નિકાચિત થતું હોય તો તો ત્રિચરમભવ કરતાં પણ પૂર્વે સાવધાચાર્ય વગેરેની જેમ જે જિનનામ બંધાયું હોય છે તેના પણ એક અસંખ્યાતમાભાગનું દલિક નિકાચિત થયું હોવું જ જોઈએ. અને તો પછી એ પણ નિકાચિત જિનનામરૂપ થવાથી ત્રિચરમભાવપૂર્વના આવા જિનનામના બંધાદિનો પણ કર્મ સાહિત્યમાં ઉલ્લેખ હોવો જ જોઈએ ને !
સમાધાન નિકાચના પણ બે પ્રકારે હોય છે. વિશેષ પ્રકારના અધ્યવસાય વગર સામાન્ય પરિણામથી પણ જે પ્રતિસમય ચાલ્યા કરતી હોય છે તે, તથા વિશિષ્ટ પ્રકારના અધ્યવસાયથી થતી ગાઢ નિકાચના કે જેનાથી નિકાચિત થયેલ કર્મ સામાન્યથી ભોગવવું જ પડે. ત્રિચરમભવમાં જે જિનનામની નિકાચના થાય છે તે બીજા પ્રકારની નિકાચના છે, ને એને ચરમભવમાં અવશ્ય ભોગવવું જ પડે છે. જે જીવોએ જિનનામકર્મ આવી રીતે નિકાચિત કરેલું હોય તેઓ દ્વારા જિનનામના જે બંધાદિ થાય એનો જ કર્મસાહિત્યમાં ઉલ્લેખ છે. સાવઘાચાર્ય વગેરેએ આવું ગાઢ નિકાચિત જિનનામ બાંધ્યું નહોતું. માટે એનો ઉલ્લેખ મળે નહીં.
અમુક વિશેષ પ્રકારના અધ્યવસાયો હોય તો જ કર્મ આવું ગાઢ નિકાચિત ૧૪૮
શાક ગ્રન્થ પર ટીપ્પણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org