SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ 29) જિનનામકર્મનો જઘન્યસ્થિતિબંધ અંતઃ કોકો, સાગરો છે ૧ ક્રોડ સાગરો થી ૧ સમય પણ ન્યૂન બંધાતો હોય ત્યાં સુધીનો સ્થિતિબંધ અંતઃક્રોડ સાગરો કહેવાય છે. એક સમય અધિક એવા ૧ કોડ સાગરો થી લઈને ૧ સમય ન્યૂન એવા ૧ કો. કો. સાગરો- સુધીનો બધો સ્થિતિબંધ અંતઃ કો કોડ સાગરો કહેવાય છે. ક્ષપક શ્રેણીના પ્રારંભે પણ અંતઃ કોકો સાગરો સ્થિતિબંધ હોય છે. ૯મા ગુણઠાણાના પ્રારંભથી અંતઃકોડ સાગરો શરૂ થાય છે. એટલે આઠમા ગુણઠાણાના છઠ્ઠા ભાગે જે ચરમ સ્થિતિબંધ થાય (કે જ્યારે આહાર - જિન વગેરેનો ચરમ બંધ છે) તે અંત: કો. કોસાગરો હોય જ એ સ્પષ્ટ છે. આહા. ૨, જિનનામનો આ જઘન્ય સ્થિતિબંધ છે. કારણકે એના બંધકોમાં આ સર્વવિશુદ્ધ છે. તેથી આ ત્રણેનો જઘન્યસ્થિતિબંધ અંતઃક્રો ક્રોડ સાગરો કહ્યો છે. આઠમા ગુણઠાણાના પ્રારંભે જેટલો સ્થિતિબંધ હોય એના કરતાં એના અંતે સંખ્યામા ભાગનો (=સંખ્યાતગુણહીન) સ્થિતિબંધ હોય છે. અલબત્ આહા૨, જિનનામનો જઘસ્થિતિબંધ આઠમાના અંતે નથી, પણ આઠમાના છઠ્ઠા ભાગના અંતે છે. તેમ છતાં, ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કે જે ચોથે ગુણઠાણે મિથ્યાત્વાભિમુખ અવસ્થામાં થાય છે તેના કરતાં એ સંખ્યાત ગુણહીન હોવો તો સ્પષ્ટ છે જ. શંકા : જિનનામ કર્મ પૂર્વના ત્રીજા ભવમાં જ બંધાય છે, તો એનો જઘન્યથી પણ અંતઃ કો. કોસાગરો પ્રમાણ સ્થિતિબંધ શી રીતે સંગત કરે ? કારણકે ઉત્કૃષ્ટથી સાધિક ૩૩ સાગરો થી અધિક એ જીવોનો સંસાર જ હવે હોતો નથી. સમાધાન : ભાષ્યકાર શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણે વિશેષણવતિ ગ્રન્થમાં આનું સમાધાન દર્શાવ્યું છે કે પૂર્વના ત્રીજાભવમાં જ બંધાવાની જે વાત છે તે નિકાચિત જિનનામકર્મની અપેક્ષાએ છે. બાકી અનિકાચિત બંધ તો એ પૂર્વે પણ થઈ શકે છે. શંકાઃ જો જઘન્યથી પણ અંતઃ કો. કો. સાગરો સ્થિતિ બંધાય, તો ૧૪૬ શતક ગ્રન્થ પર ટીપ્પણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004954
Book TitleShatak
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh Mumbai
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy