________________
સૂક્ષ્મ બાદર ઃ આ બન્ને પણ જીવવિપાકી પ્રકૃતિઓ છે. શંકા ઃ એક કે અનેક શરીર ભેગા થવા છતાં જે ચર્મચક્ષુથી જોઈ ન શકાય આવા શરીરવાળા જીવો ‘સૂક્ષ્મ’ કહેવાય છે. આમાં ‘ચર્મચક્ષુથી જોઈ ન શકાય’ નો અર્થ ‘કોઈપણ ઇન્દ્રિયથી જાણી ન શકાય’ એવો છે. અર્થાત્ સૂક્ષ્મનામ કર્મ શરીરપુદ્ગલો પર એવી અસર કરે છે કે જેથી એ કોઈપણ ઇન્દ્રિયનો વિષય ન બની શકે.. તો સૂક્ષ્મનામકર્મને પુદ્ગલવિપાકી કેમ ન કહી?
સમાધાન ઃ બેશક સૂક્ષ્મનામકર્મના ઉદયવાળા જીવોનું શરીર આવા સૂક્ષ્મ પરિણામવાળું હોય છે. પણ પુદ્ગલવિપાકી એવી વર્ણ-ગંધ વગેરે પ્રકૃતિઓની જીવના પરિણામ પર જેમ કોઈ સાક્ષાત્ અસર હોતી નથી, અને તેથી શુક્લવર્ણવાળાને આટલો સ્થિતબંધ હોય ને કૃષ્ણવર્ણવાળાને એનાથી હીન કે અધિક હોય આવો કોઈ ફરક પડતો નથી.. એ જ રીતે યોગ વગેરેમાં ફરક પડતો નથી. આવું સૂક્ષ્મ-બાદર માટે નથી. બાદરજીવ જેટલા યોગસ્થિતિબંધ વગેરે સૂક્ષ્મને હોતા નથી. અર્થાત્ પૂર્વે જાતિનામકર્મ માટે જણાવ્યું તેમ સૂક્ષ્મ-બાદર નામકર્મની સીધી જીવના પરિણામો પર અસર છે, માટે એ જીવિપાકી છે. આ જ રીતે પર્યાપ્ત - અપર્યાપ્ત નામકર્મની પણ સીધી જીવપરિણામ પર અસર હોવાથી એ પણ જીવવિપાકી છે.
પણ પ્રત્યેક-સાધારણ નામકર્મ માટે એવું નથી...જીવ પ્રત્યેક હોય કે સાધારણ હોય એના કારણે જીવની કષાયપરિણતિ કે વીર્યપરિણતિ વગેરેમાં કશો ફેર પડતો નથી. એટલે જ યોગના કે સ્થિતિબંધના અલ્પબહુત્વમાં જેમ સૂક્ષ્મ-બાદર કે પર્યામ-અપર્યાપ્ત જીવોના બોલ અલગ અલગ આવે છે એમ પ્રત્યેક- સાધારણના આવતા નથી. આમ પ્રત્યેક-સાધારણ પુદ્ગલવિપાકી હોવાથી જ ચૌદમે ગુણઠાણે શરીરસંલગ્ન શરીરનામકર્મ વગેરેનો જેમ ઉદય હોતો નથી એમ પ્રત્યેકનો પણ ઉદય હોતો નથી, પણ ત્રસાદિ નામકર્મનો ઉદય હોય છે.
સૂબા ની જીવવિપાકિતા
...
Jain Education International
For Private & Personal Use Only
૧૩૦
www.jainelibrary.org