________________
શંકા ઃ આવું તો એકેન્દ્રિયજાતિનામકર્મ વગેરે માટે પણ કહી શકાય છે
:
કે એ કર્મ સીધું તો પુદ્ગલ પર અસર કરે છે ને પછી એવા પુદ્ગલાત્મક દ્રવ્યને પામીને જ્ઞાનાવરણીય વગેરે કર્મોના અમુક ચોક્કસમાત્રામાં જ ઉદય-ક્ષયોપશમ થતા હોવાથી અમુક ચોક્કસ મર્યાદાના જ જ્ઞાનાદિ તેઓમાં પ્રગટ થાય છે. અને તેથી એને પણ પુદ્ગલવિપાકી કહેવા જોઈએ.
સમાધાન ઃ આ શંકા બરાબર નથી.. કારણકે જાતિનામકર્મની અસર પુદ્ગલ પર થતી હોય તો કયા પુદ્ગલ પર? દ્રવ્યેન્દ્રિયનું જે નિર્માણ થાય છે તેમાં તો પર્યા-ઉપાંગ-નિર્માણનામકર્મ ભાગ ભજવે છે, જાતિનામકર્મ નહીં.. જાતિનામ કર્મ તો એવો આત્મપરિણામ જ ઊભો કરે છે કે જેથી પર્યાસિનામકર્મના પેટા વિભાગસ્વરૂપ ઇન્દ્રિયપર્યાસિનામકર્મના પણ પેટાવિભાગરૂપ સ્પર્શનેન્દ્રિયપર્યાસિનામકર્મના પ્રભાવે, શરીરરૂપે પરિણમેલા પુદ્ગલોમાંથી માત્ર સ્પર્શનેન્દ્રિયરૂપે જ પુદ્ગલો પરિણમે, અન્યઇન્દ્રિયરૂપે નહીં. આ જ રીતે ઉપાંગનામકર્મ વગેરે માટે પણ જાણવું. એ જ રીતે જ્ઞાનાવરણીયાદિનો મર્યાદિત ક્ષયોપશમ જ થાય, એવો પણ જીવપરિણામ જાતિનામકર્મના ઉદયે થાય છે. માટે એ જીવવિપાકી જ છે.
ખગતિનામકર્મ : આ કર્મ જીવવિપાકી છે.
શંકા : હંસ જેવી શુભચાલ કે ઊર્ટ જેવી અશુભચાલ એ તો શરીરના ધર્મ છે. માટે આ કર્મને પુદ્ગલવિપાકી કહેવું જોઈએ ને.
સમાધાન ઃ હા, વાત બરોબર છે, શુભ-અશુભચાલ શરીર (પગ) શી રીતે પડે છે એના પરથી જ જણાતા હોવાથી શરીરધર્મ કહી શકાય છે.. ને છતાં ખગતિનામકર્મને જીવવિપાકી કહી છે, માટે એનું કારણ વિચારી કાઢવું જોઈએ. એ વિચાર આવો થઈ શકે છે - મનુષ્યાદિ કોઈપણ જ્યારે ચાલે છે ત્યારે એના આત્મપ્રદેશોની સાથે પગ જાય છે કે પગની પાછળ આત્મપ્રદેશોને ખેંચાવું પડે છે ? આ સૌ પ્રથમ વિચારવું જોઈએ. આશય એ છે કે શરીરની સાથે જીવપ્રદેશો ક્ષીરનીરવત્ એકમેક થયેલા છે. એટલે શરીરની કોઈપણ હિલચાલ સાથે જીવપ્રદેશોની પણ એવી જ હિલચાલ થાય છે, ને જીવપ્રદેશોની
૧૩૪
શાક ગ્રન્થ પર ટીપ્પણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org