________________
કરનારા હોવાથી જીવવિપાકી છે એ સ્પષ્ટ જ છે.. હવે નામકર્મનો વિચાર કરીએ..
ગતિનામકર્મ : જેમ નિર્મળ સંયમ પાલન વગેરેથી થયેલી શુદ્ધિ આત્માનો એવો પરિણામ કરે છે કે જેથી અવધિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ થઈ જાય ને જીવને અવધિજ્ઞાન પ્રાપ્ત થાય.. એમ દેવગતિ-નારકગતિ નામકર્મ એવો જીવપરિણામ કરે છે કે જેથી અધિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ થઈ જાય.. તથા દેવ-નારક ગતિનામકર્મ જીવ પર એવી પણ અસર કરે છે જેથી એને વિરતિપરિણામ જાગે જ નહીં. તિર્યંચગતિનામ કર્મ એવી અસર કરે છે કે જેથી સર્વવિરતિપરિણામ જાગે નહીં.. એ પરિણામ પણ જાગી શકે એવી શક્યતા મનુષ્યગતિનામકર્મના ઉદયથી ઊભી થાય છે (અહીં જણાવી એ સિવાયની પણ, જ્ઞાનાવરણીયાદિનો અમુક પ્રકારનો - અમુક માત્રાનો જ ક્ષયોપશમ વગેરે થઈ શકે.. વગેરે પણ તે તે કર્મોની જીવ પર સીધી અસર જાણવી.. આવું અન્યત્ર પણ જાણવું). માટે ગતિનામકર્મ જીવવિપાકી છે.
જાતિનામકર્મ : આ કર્મ જીવના ચૈતન્ય પર અસર કરનારું હોવાથી જીવવિપાકી છે એ સ્પષ્ટ છે. એકેન્દ્રિયનામકર્મના ઉદયવાળા જીવોને અમુક માત્રાનું જ ચૈતન્ય અનાવૃત રહ્યું હોય છે. એટલે એને અનુસરીને જ એ જીવોને અમુક મર્યાદામાં જ જ્ઞાન-વીર્ય વગેરે પ્રવર્તે છે. એમ ક્રોધાદિ કષાયો પણ અમુક માત્રામાં જ પ્રવર્તી શકે છે ને તેથી એ જીવોને સ્થિતિબંધ (મિથ્યાત્વમોહનીયની અપેક્ષાએ) પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી ન્યૂન એવા એક સાગરોપમથી લઈને પૂર્ણ એક સાગરોપમ સુધીની મર્યાદામાં જ થતો હોય છે.. આનાથી ઓછો કે વધારે સ્થિતિબંધ થઈ શકે એવી કષાયપરિણતિ એ જીવોને આવી જ શકતી નથી.. આ એકેન્દ્રિય જાતિનામકર્મના ઉદયનો પ્રભાવ છે. માટે એ જીવવિપાકી છે.
પલ્યોપમના સંખ્યાતમા ભાગથી ન્યૂન પચ્ચીશસાગરોપમથી માંડીને પૂરા પચ્ચીશ સાગરોપમ સુધીનો જ મિથ્યાત્વમોહનીયનો સ્થિતિબંધ જે કષાયપરિણતિઓથી થાય એવી જ કષાયપરિણતિઓમાં જીવ રમ્યા કરે એ ગતિ-જાતિની જીવવિપાકિતા
૧૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org