________________
૧૦૦૦૧ થી ૩૦૦૦૦ સુધીનો રસ ૨ ઠાણિયો ૩૮૦૦૦૧ થી ૬૦૦૦૦ સુધીનો રસ ૩ ઠાણિયો ૬૦૦૦૧ થી ૧લાખ સુધીનો રસ ૪ ઠાણિયો છે.
૧ થી ૧૨૦૦૦ સુધીનો રસ (૧ ઠા. બધો + મંદ બે ઠા.) દેશધાતી છે. એની ઉપરનો બધો રસ સર્વઘાતી છે. ૧૦૦૦૧ થી ૧૨૦૦૦ સુધીનો મંદ દ્વિસ્થાનિક કહેવાય અને ૧૨૦૦૧ થી ૧૫૦૦૦ મધ્યમ વિસ્થાનિક તથા ૧૫૦૦૧ થી ૩૦૦૦૦ ઉત્કૃષ્ટ તરફનો હિસ્થાનક રસ છે.
કેવલજ્ઞાનાવરણ વગેરે પ્રકૃતિઓ એવી છે કે એના ભાગે આવેલા દલિકોમાં ૧૨૦૦૧, ૧૨૦૦૨... વગેરે માત્રાવાળો, સર્વઘાતી રસ પેદા થાય છે, પણ ૧ થી ૧૨૦૦૦ સુધીનો રસ (દેશઘાતી રસ) કોઈજ દલિકમાં ઉત્પન્ન થતો નથી. અર્થાત્ એના દેશઘાતી સ્પર્ધકો હોતા નથી. આવી પ્રકૃતિઓને સર્વઘાતી પ્રકૃતિ કહેવાય છે.
મતિજ્ઞાનાવરણ વગેરે પ્રકૃતિઓ એવી છે કે એનો ૧ થી ૧૨૦૦૦ સુધીનો દેશઘાતી રસ પણ બંધાય છે અને ૧૨૦૦૧ થી ઉપરનો ઠેઠ ૪ ઠા સુધીનો સર્વઘાતી રસ પણ બંધાય છે. (કેટલાક દલિકોમાં દેશઘાતી રસ અને એના અનંતમાભાગ જેટલા અન્ય બધ્યમાન દલિકોમાં સર્વધાતી રસ પેદા થાય છે). અર્થાત એના દેશઘાતી અને સર્વઘાતી બન્ને પ્રકારના સ્પર્ધકો હોય છે. આવી પ્રકૃતિઓને દેશધાતી કહેવાય છે.
દર્શનમોહનીયમાં એક વિશેષતા છે. બંધકાળે એનો ૧૫૦૦૧ અને એની ઉપરનો જ રસ બંધાય છે, ૧ થી ૧૨૦૦૦ સુધીનો દેશઘાતી રસ તો નહીં, પણ ૧૨૦૦૧ થી ૧૫૦૦૦ સુધીનો સર્વઘાતી રસ પણ ક્યારેય બંધાતો નથી. બંધાતું બધું દલિક મિથ્યાત્વમોહનીય કહેવાય છે. પણ જીવ જ્યારે સમ્યક્ત્વ પામે છે ત્યારે વિશુદ્ધિવશાત્ કેટલાક દલિકોમાંથી રસ હણીને ૧ થી ૧૨૦૦૦ સુધીનો સર્વવિશુદ્ધ કરી નાખે છે. આ દેશધાતી રસ છે ને એ સમ્યક્ત્વ મોહનીય પુંજ કહેવાય છે. દેશઘાતી હોવાથી એનો ઉદય સમ્યક્ત્વને સર્વથા હણી શકતો નથી, અને તેથી સમ્યક્ત્વગુણ પ્રગટ રહે છે, પણ દેશથી તો એ હણે જ છે. ‘ક્ષયોપશ્ચમ’ વિચાર
૧૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org