________________
અનુદયવાળાને) જો અનંતબહુભાગ પાપની વિરતિ છે. તો એને અવિરત કેમ કહેવાય છે ?
સમાધાન : શાસ્ત્રોમાં વિરતિ અવિરતિનો વ્યવહાર મુખ્યતયા સ્વકીય પાપકરણની વિરતિની અપેક્ષાએ છે. અવિરત સમ્યકત્વી જીવ હિંસાના પાપકરણની અવિરતિના એક અંશ માત્રથી પણ વિરામ પામ્યો હોતો નથી, માટે એને દેશથી પણ વિરતિ ન હોવાથી અવિરત કહેવાય છે.
આમ, અનંતાનુબંધીના વિપાકોદયના અભાવથી, અનંતબહુભાગ પાપ અકરણ રૂપ જે અનંત બહુભાગ વિરતિ આવે છે તેને અનંતાનુબંધીનો ઉદય અટકાવતો હોવાથી એ ચારિત્ર મોહનીય છે, એ સ્પષ્ટ છે. તેમજ એના ઉદયથી અનંત બહુભાગ પાપનું કરણ હોવાથી અનંતગણો રસ બંધાય છે, માટે આ કષાયો અનંતાનુબંધી કહેવાય છે. આશય એ છે કે અનંતાનુબંધીનો ઉદય ન હોય તો ચારિત્ર મોહનીયનો રસ મધ્યમ ધિસ્થાનકથી વધારે બંધાતો નથી. પણ જો એ ઉદય હોય તો તીવ્ર દ્વિસ્થાનિક, ત્રિસ્થાનિક ને ચતુઃસ્થાનિક રસ પણ બંધાય છે. આ બધો રસ મધ્યમ વિસ્થાનિક રસ કરતાં અનંતગણો હોય છે, માટે આવો અનંતગુણ રસ બંધાવનારા હોવાથી આ કષાયો અનંતાનુબંધી કહેવાય છે. વળી આવા તીવ્ર રસના કારણે તેમજ અનુબંધના કારણે જીવ અનંતસંસાર સાથે જાણે કે જોડાય છે, માટે પણ એને અનંતાનુબંધી કહે છે એ જાણવું.
શંકા ઃ જો આ રીતે અવિરતસમ્યક્ત્વીને પણ, પાપપક્ષપાત ન હોવાથી, દુનિયામાં થતા અનંતબહુભાગપાપની વિરતિ જ છે, તો દેશિવરતને પણ આ વિરતિ તો રહેવાની જ અને તો પછી, ૧૪ નિયમ ધારવા અંગે જે કહેવાય છે કે જો તમે ચિત્ત વગેરેનો નિયમ ન કરો તો, દુનિયામાં જે હજારો સચિત્ત ચીજો રોજ વપરાય છે એને તમે ન વાપરતા હો તો પણ તમને એ ચિત્તના ઉપભોગનું પાપ લાગે છે, વગેરે... એ શી રીતે સંગત ઠરશે ?
સમાધાન : ‘તમે રાત્રીભોજન ન કરતાં હો તો પણ જો તમે પ્રતિજ્ઞા લીધી ન હોય તો તમને રાત્રીભોજનનું પાપ લાગે જ છે’ આવો વાક્યપ્રયોગ ૧૪ નિયમનું રહસ્ય
૧૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org