________________
ઉદય થઈ શકે છે ને એ જીવ ત્રીજે ગુણઠાણે આવે છે. આમ ત્રીજે ગુણઠાણે ૨૮,૨૦ કે ૨૪ની સત્તા મળી શકે છે, તેમજ મિથ્યાત્વથી અને સમ્યક્તથી પણ ત્રીજે ગુણઠાણે આવી શકાય છે. (૨૮ ની સત્તાવાળો પણ મિશ્રનો ઉદય થયે ચોથેથી ત્રીજે ગુણઠાણે આવી શકે છે એ જાણવું) આ કાર્મગ્રન્થિક મત છે. સિદ્ધાન્તના મતે પહેલેથી જ ત્રીજે આવી શકાય છે, ચોથેથી નહીં, એવું ગ્રન્થકાર શ્રીદેવેન્દ્રસૂરિમહારાજે ૫૬મી ગાથાની વૃત્તિમાં જણાવ્યું છે. ને એમાં તેઓશ્રીએ
मिच्छत्ता संकंती अविरुद्धा होइ सम्ममीसेसु । मीसाओ वा दोसुं सम्मा मिच्छं न उण मीसं ॥ આ ગાથા સાક્ષી તરીકે આપી છે.
અલબ બૃહત્કલ્પભાષ્યની ૧૧૪મી ગાથા અને એની વૃત્તિ નીચે મુજબ છે.
मिच्छत्ता संकंती अविरुद्धा होति सम्ममीसेसु । मीसाओ वा दुन्नि वि न उ सम्मा परिणमे मीसं ॥
मिथ्यात्वात् पुद्गलसंक्रान्तिः सम्यक्त्वमिश्रयोरविरुद्धा । मिश्रतो वा=सम्यग्मिथ्यात्वतो वा पुद्गलानादाय द्वावपि संक्रमयति । तद्यथा - मिथ्यात्वं सम्यक्त्वं च। यथोक्तमनन्तरम् । सम्यक्त्वात् = सम्यक्त्वदलिकात् पुन: पुद्गलानादाय न मिश्रं = मिश्रभावं परिणमयति ॥
અર્થ : મિથ્યાત્વપુંજમાંથી સમ્યકત્વ અને મિશ્રપુંજમાં દલિકોનો સંક્રમ અવિરોધપણે થાય છે. મિશ્રપુંજમાંથી દલિકોને ગ્રહણ કરીને મિથ્યાત્વ અને સમ્યકત્વ એ બન્ને પુંજમાં સંક્રમાવે છે. પણ સમત્વ પુંજમાંથી પુલોનું ગ્રહણ કરીને મિશ્રરૂપે પરિણાવતો નથી.
આ અર્થને અનુસરીને વિચારીએ તો આ ગાથામાં પુગલોના સંક્રમની વાત છે, અર્થાત્ કયા પુંજમાંથી સંક્રમીને દલિક કયા પુંજમાં જઈ શકે એનું આમાં નિરૂપણ છે, પણ જીવ કયા ગુણઠાણેથી કયા ગુણઠાણે જઈ શકે, કયા ગુણઠાણે ન જઈ શકે, એની આમાં કોઈ વાત નથી. અને તો પછી મિચ્છત્તાસંકંતી ગાથાર્થ
GO
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org