________________
આ કાર્મગ્રન્થિક મત છે. સિદ્ધાન્તના મતે એક ભવમાં બન્ને શ્રેણિ માંડી શકાતી નથી. ક્ષપકશ્રેણિઃ
પહેલાં ક્ષાયિક સમત્વ પામવાની પ્રક્રિયા
પ્રારંભકઃ ૮ વર્ષથી અધિક ઉમરવાળો પ્રથમસંઘયણી ૪થી ૭ગુણઠાણે રહેલો મનુષ્ય જો અપ્રમત્ત પૂર્વધર હોય તો શુક્લધ્યાની પણ હોય. શેષ ધર્મધ્યાની.
પ્રથમ અન્તર્મમાં ૪ અનંતા એક સાથે ખપાવે છે. એનો છેલ્લો અનંતમો ભાગ મિથ્યાત્વમાં નાખી એ બન્નેને સાથે ખપાવે છે. જેમ અત્યંત પ્રબળ અગ્નિ ચાલુ બળીરહેલું બળતણ થોડું બાકી હોય ત્યાં જ બીજું બળતણ પણ બાળવાનું ચાલુ કરે છે ને જૂનું બળતણ એની સાથે બાળે છે, એમ પ્રસ્તુતમાં જાણવું. આ જ ક્રમે પછી મિશ્ર અને સમત્વમોહનીય ક્રમશઃ ખપાવે છે. એમાં સમ્યનો ચરમખંડ ઉકેરાઈ જાય ત્યારથી જીવ કૃતકરણ કહેવાય છે. એ પછી આયુ પૂર્ણ થાય તો ચારમાંથી કોઈપણ ગતિમાં જઈ શકે છે ને ત્યાં શેષ સમ્યા મોહનીયને સંપૂર્ણ ખપાવી ક્ષાયિસમત્વ પામી શકે છે. વળી કૂતકરણ પૂર્વેશુક્લલેશ્યામાં જ જીવ હતો તે કૃતકરણ થયા પછી કોઈપણ લેશ્યામાં આવી શકે છે. માત્ર અનંતા. ૪ને ખપાવી અટકી જનારો મિથ્યાત્વરૂપી બીજ અક્ષત હોવાથી મિથ્યાત્વે જઈ ફરીથી અનંતા બાંધી શકે છે, દર્શનસતકનો ક્ષય કરનારને આવું સંભવતું નથી. તથા એણે જો પરભવાયુ કે જિનનામકર્મનિકાચિતન કર્યું હોય તો એ જીવ પછી આગળ શપકેશ્રેણિ પણ માડે જ છે.
એ જીવ, સમ્યક્વમોહનીય કંઈક બાકી હોય ત્યારથી જ શુભ પરિણામોમાં આગળ વધતો વધતો અપ્રત્યા પ્રત્યા. ૮ કષાયોને ખપાવવાનું ચાલુ કરી દે છે. એ આઠ અડધા ખપ્યા હોય ને વચમાં જ નામની ૧૩ + થીણદ્વિત્રિક = ૧૬ પ્રકૃતિઓને ખપાવે છે ને ત્યારબાદ ૮ કષાયોનું બાકીનું દલિક ખપાવી દે છે. આ સૂત્રમત છે. અન્યમતે ૧૬ ને ખપાવવાનો પ્રારંભ, વચમાં ૮ કષાયો ખપાવેને પછી ૧૬ પ્રકૃતિઓને પૂરી ખપાવી દે છે. ત્યારબાદ..
૨
ગાથા: ૯૯ - શતક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org