________________
અન્ય આચાર્યોનો મત એવો છે કે ઉપશમશ્રેણિ માટે પણ અનંતાની વિસંયોજના જ થાય છે, ઉપશમના નહીં.
અનંતાનુબંધી વિસંયોજનાઃ ઉપશમશ્રેણિ ન માંડનારા પણ કેટલાક ચારે ગતિના સંજ્ઞી પર્યાપ્તક્ષાયોપથમિકસમવી જીવો અનંતાની વિસંયોજના કરે છે. એમાં, દેવ-નારક - અવિરત સમ્યત્વી
તિર્યંચો - અવિરત સમ્યવીકે દેશવિરત મનુષ્યો - અવિરત સમ્યક્ટવી, દેશવિરત કે સર્વવિરત
આમાં ક્રમશઃ યથાપ્રવૃત્તાદિ ત્રણે કરણો કરે છે, પણ અંતરકરણકે ઉપશમ હોતો નથી. અપૂર્વકરણના પ્રથમ સમયથી અનંતાનો ગુણ સંક્રમ ચાલુ થાય છે. અને અનિવૃત્તિકરણના પ્રથમસમયથી ઉદ્ગલના સંક્રમ પણ ચાલુ થાય છે. જેના દ્વારા ચારે અનંતાનુબંધી સંપૂર્ણ ઉવેલાઈ જાય છે. પછી વધેલી ઉદયાવલિકાને સિબુક સંક્રમથી ભોગવીને ક્ષીણ કરે છે.
દર્શનત્રિકની ઉપશમના ઃ સમ્ય અને મિશ્રમોહની ઉપશમના ક્ષાયોપથમિક સમન્વી કરે છે. મિથ્યા મોહની ઉપશમના મિથ્યાત્વી પણ કરી શકે છે. એમાં મિથ્યાત્વી જીવ પ્રથમ સમત્વની પ્રાપ્તિ માટે કરે છે તે આ રીતે
પ્રથમ સમ્યકત્વોત્પાદઃ બધું અનંતા ઉપશમના મુજબ. પણ આટલી વિશેષતા - પ્રારંભ, મિથ્યાત્વી જીવ હોય. અપૂર્વકરણમાં ગુણસંક્રમ હોતો નથી. ગુણશ્રેણિદલિક રચના મિથ્યાત્વમોહનીય કર્મમાં ઉદયસમયથી થાય છે. અનિવૃત્તિકરણમાં પણ આ જ પ્રમાણે જાણવું. એના સંખ્યાત બહુભાગ પસાર થઈ ગયા પછી મિથ્યાત્વ મોહનીયની સ્થિતિમાં આંતરું પાડે છે. એમાં પ્રથમ સ્થિતિ અતં પ્રમાણ હોય છે. એના કરતાં સંખ્યાતગુણ મોટા અન્તર્મ પ્રમાણ અંતર પડે છે. ઉકેરાતું દલિક પ્રથમ અને બીજી બન્ને સ્થિતિમાં પડે છે. અંતરકરણક્રિયા પૂર્ણ થયા બાદ પ્રથમસ્થિતિને ઉદયઉદીરણાથી ભોગવતો જાય છે. તથા એ વખતે પ્રથમસ્થિતિમાંથી થતી ઉદીરણા ઉદીરણા જ કહેવાય છે. અને બીજી સ્થિતિમાંથી થતી ઉદીરણા આગાલ કહેવાય છે. પ્રથમ સ્થિતિની બે આવલિકા બાકી હોય ત્યારથી આગાલ બંધ પડે છે અને એક આવલિકા બાકી
ગાથા: ૯૮ - શતક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org