________________
સહુથી વધુ નિપુણતા બતાવતા કર્મચારી તરીકે તારાનાથ શ્રેષ્ઠ કર્મચારી જાહેર થયા !
તારાનાથ એક પછી એક તરણસ્પર્ધામાં ભાગ લેતો હતો. નવી નવી સિદ્ધિઓ મેળવતો હતો. ભારતની સમુદ્રતરણની ઘણી સ્પર્ધાઓમાં એણે વિજય મેળવ્યો. તારાનાથ નિશાળમાં ભણતો હતો ત્યારે જ ૧૯૭૫માં નવી દિલ્હીમાં યોજાયેલી રાષ્ટ્રીય જુનિયર તરણસ્પર્ધામાં પહેલા નંબરે આવ્યો અને બે વર્ષ બાદ ત્રિવેન્દ્રમમાં ફરી પ્રથમ સ્થાન હાંસલ કર્યું. ૧૯૭૬માં એણે સમુદ્ર સ્પર્ધાઓમાં ઝુકાવ્યું. ચોપાટીથી બાંદ્રાની એક સ્પર્ધામાં એ બીજા ક્રમે આવ્યો. ત્યારબાદ શ્રીલંકાના તલાઈમનારથી તમિળનાડુના ધનુષકોંડિ સુધીની સ્પર્ધાનું એકવીસ માઈલનું અંતર પંદર કલાકમાં કાપ્યું, પરંતુ તારાનાથ શિનોયની ઇચ્છા તો ઇંગ્લિશ ખાડી તરવાની હતી.
આ ઇંગ્લિશ ખાડી તરવી તે કુશળ તરવૈયાઓનો આદર્શ હોય છે, પરંતુ એમાં સફળતા મેળવવી એટલી જ મુશ્કેલ હોય છે. આનું એક કારણ એ છે કે એમાં ભાગ લેવા સારી એવી આર્થિક મદદ મળવી જોઈએ. આવવા-જવાનું વિમાનભાડું, એકાદ મહિનો રહીને પરિસ્થિતિને અનુકૂળ થવા કરવી પડતી મહેનત તેમજ તરણ સમયે, સાથે ચાલનારી ચાટ-પાયલોટ તેમજ અન્ય વ્યવસ્થા માટે ઘણો ખર્ચ કરવો પડે. આ પછી એક બીજો મુકાબલો તે કારમી ઠંડીનો ગણાય. ગમે તેવો તરવૈયો પણ આ ઠંડી જોઈને ક્રૂજી ઊઠે.
તારાનાથ શિનોયે તરવૈયાઓની દુનિયામાં સૌથી ઝડપી વિકલાંગ તરવૈયા તરીકે નામના મેળવી હતી. ૧૯૮૧માં તારાનાથે આ માટે પહેલો પ્રયાસ ર્યો, પરંતુ એ સમયે પાણીનું ઉષ્ણતામાન માત્ર ૧૨ ડીગ્રી સેન્ટિગ્રેડ થઈ જતાં તારાનાથને એ પ્રયાસ છોડી દેવો પડ્યો. એ પછી તારાનાથે ફરી બે વર્ષ બાદ ઇંગ્લિશ ખાડી તરવાનો પ્રયાસ કર્યો. એણે ફ્રાંસથી ઇંગ્લેન્ડ સુધીનું આ ખાડીનું અંતર પસાર કરવા માટે દસ કલાક અને ચોપન મિનિટ લીધાં. એને એની આવી સિદ્ધિ માટે ખાસ મેડલ પણ એનાયત થયો. ચોવીસ વર્ષનો તારાનાથ સાંભળી તો શકતો ન હતો, પરંતુ કોઈ પણ બહુ ઓછું શકતો હતો.
અપંગનાં ઓજસ
જWકે ? A A $
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org