________________
BE IT
IS
૧પ
પાણીદાર પામી
એક છોકરાને તરવું બહુ ગમે. પાણી જુએ અને તરવાનું મન થાય. તક મળે અને પાણીમાં કૂદકો લગાવે. હાથ વીંઝીને તરવા લાગે, પરંતુ પાણીમાં હાથ વીંઝીને આગળ વધે ત્યારે પાણી પર હાથની થપાટ વાગતાં કેવો અવાજ થાય છે તે તેને સંભળાય નહીં. પાણીમાં પડ્યા પછી કેવો આનંદ આવે છે એ કોઈને કહી શકે નહીં. આનું કારણ એટલું જ કે એ જન્મથી જ મૂક અને બધિર હતો. અધૂરામાં પૂરું એની એક આંખ તો સાવ અંધ હતી અને બીજી આંખે માંડ ચાલીસ ટકા જેટલું જોઈ શકતો હતો.
સામાન્ય માનવી તો આટલી બધી આફતોથી મૂંઝાઈ જાય. ઘેર બેસીને બીજાને સહારે જીવન ગાળે, પણ આ તારાનાથ નારાયણ શિનોય એ જુદી માટીનો માનવી હતો. એણે અભ્યાસ કરવા માંડ્યો. એસ.એસ.સી ની પરીક્ષામાં એ પ્રથમ વર્ગમાં આવ્યો. બીજી બાજુ એના ભાઈઓ તારાનાથને તરવામાં સહાય કરે. એના ભાઈ શરદ અને ગોપીનાથ તો રાષ્ટ્રીય કક્ષાની તરણસ્પર્ધામાં પણ ભાગ લઈ ચૂક્યા હતા.
૧૯૬૮થી તો તારાનાથ પણ તરવાની સ્પર્ધાઓમાં ભાગ લેવા લાગ્યો. એણે ત્રીસ જેટલી સ્પર્ધાઓમાં તો પહેલો નંબર મેળવ્યો. ૧૯૮૧માં પાલ્કની ખાડી તરવાનું બીડું ઝડપ્યું અને તેમાં તે બીજો આવ્યો. મુંબઈમાં યોજાયેલી પાંચમી અખિલ ભારત સમુદ્ર-તરણસ્પર્ધામાં એણે ૩૫ માઈલનું અંતર કાપીને બીજું સ્થાન મેળવ્યું. ૧૯૮૦માં તારાનાથ સેન્ટ્રલ રેલવેના ચીફ કૅશિયરની કચેરીમાં ક્લાર્ક તરીકે જોડાયા અને ૧૯૮૧ના માર્ચ મહિનામાં વિકલાંગોને વ્યવસાય આપ્યા પછી પોતાના વ્યવસાયમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org