SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ sale l«lehle આ ગોલંદાજને પોતાની ગોલંદાજીથી જેટલું આશ્ચર્ય થયું, એનાથી વધારે આશ્ચર્ય તો એની ગોલંદાજી સામે ખેલનારા ખેલાડીઓને થયું. આ ગોલંદાજ તે બીજો કોઈ નહીં, પણ ભારતનો એક સમયનો અગ્રગણ્ય સ્પીનર ભગવત સુબ્રમણ્યમ્ ચંદ્રશેખર. ગોલંદાજ ચંદ્રશેખરે એક રહસ્યમય ગોલંદાજ તરીકે ક્રિકેટ જગતમાં અનોખી નામના મેળવી. એ ભારતના વિજય માટેનું બ્રહ્માસ્ત્ર ગણાતો હતો. ૧૯૭૧ની ૨૩મી ઑગસ્ટે ઇંગ્લૅન્ડના ઓવલના મેદાન ગોલંદાજ ચંદ્રશેખર પર ચંદ્રશેખરે ૩૮ રનમાં ઇંગ્લૅન્ડની ૬ વિકેટ ઝડપીને ભારતને પહેલી વાર ઇંગ્લૅન્ડની ધરતી પર ટેસ્ટવિજય અપાવ્યો. ભારત અને ઇંગ્લૅન્ડના ૩૯ વર્ષના ટેસ્ટ-મુકાબલાઓમાં ઇંગ્લૅન્ડની આવી કરુણ હાલત અને કફોડી સ્થિતિ ક્યારેય થઈ ન હતી. આ પછી ચંદ્રશેખરે ૧૯૭૨-’૭૩માં ઇંગ્લૅન્ડની ટીમના ભારત-પ્રવાસ દરમિયાન એકસો વિકેટ લેવાની સિદ્ધિ મેળવી. એણે ૧૮.૯૧ રનની સરેરાશથી ૩૫ વિકેટ ઝડપીને વિનુ માંકડ અને સુભાષ ગુપ્તેનો ઇંગ્લૅન્ડ સામેનો સૌથી વધુ વિકેટ (૩૪ વિકેટ) ઝડપવાનો વિક્રમ આંબી ગયો. Jain Education International ૧૯૭૩-’૭૪ની રણજી ટ્રોફીની એક સીઝનમાં ૧૬ રનની સરેરાશથી ચંદ્રશેખરે ૫૫ વિકેટ ખેરવી. ૧૯૭૬માં વેસ્ટ ઇન્ડિઝમાં ભારતને વિજય ** For Private & Personal Use Only * K www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy