________________
લગાવવાનું ન છોડી શકે. આ માટે અગાઉ એકત્રીસ ઑપરેશન કરાવ્યાં હતાં. સાત વાર તો ઘેનમાં રાખીને લાંબા સમય સુધી ઑપરેશન ચાલ્યાં હતાં. એક પળની આનાકાની વિના વાલેરીએ બત્રીસમી વાર ઑપરેશન કરાવવાની તૈયારી બતાવી. ૧૯૭૦ની પચીસમી માર્ચે મોસ્કોમાં વાલેરીના ડાબા પગે ઑપરેશન કરવામાં આવ્યું અને પાનખરમાં તો ફરી ઊંચો કૂદકો લગાવવા હાજર થઈ ગયો.
અડગ અને અણનમ વાલેરીએ અનેક આફત સહન કરીને અશક્યને શક્ય બનાવી ઊંચા કૂદકાની સ્પર્ધામાં જે પુનરાગમન કર્યું તે વાલેરીએ એ સમયે સર્જેલા વિશ્વવિક્રમથીય મહાન ગણાશે !
અપંગનાં ઓજસ | 8
aણ અપંગ લાકડાની ઘોડીથી અગિયાર દિવસ સુધી પગપાળા ચાલીને પુણેથી મુંબઈ આવ્યા. આમાં શાંતિલાલ આનંદજી સંપત, ગોપાળ ભાનુશાળી અને અશોક અર્જુન ગોરી હતા. શાંતિલાલ સંપતે નવ વર્ષની ઉંમરે ટ્રક અકસ્માતમાં પોતાના પગ ગુમાવ્યા એ પછી આબુના સાતસો પગથિયાં ચડ્યા, મુંબઈના હાજીઅલી પાસેનો ડુંગર બે વખત ચડી આવ્યા અને ત્યારબાદ પુણેથી મુંબઈ સુધી લાકડાની ઘોડી મારફતે ચાલવાનું નક્કી કર્યું. સવારે ૮થી ૧૧ અને બપોરે ૩-૩૦થી -૩૦ સુધી ચાલીને એમણે આ કામ સિદ્ધ કર્યું. એમની સાથે ડોંબિવલી બેંક ઓફ મહારાષ્ટ્રમાં નોકરી કરતા અશોક ગોરી અને એલઆઈસીપિયરલેસના એજન્ટ ગોપાળભાઈ ભાનુશાળી પણ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org